અનુયાયીઓ

શુક્રવાર, 14 ડિસેમ્બર, 2018

મેંગોપીપલ પરીવાર દ્વારા જામનગરની પછાત વિસ્તારોની આંગણવાળીમાં પૌષ્ટિક નાસ્તાનું વિતરણ શરૂ કરાયું  

તાજેતરમાં નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેંગોપીપલ પરીવાર દ્વારા  જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ભીમવાસ અને ગંજીવાળાની ટોટલ ૩ આંગણવાળી ના બાળકોને શુદ્ધ, પૌષ્ટિક અને ઘરનો બનાવેલ નાસ્તો આપવાની શરૂવાત કરી છે. જેમાં ઘરે જ બનાવેલ પૌવા બટેટા , ઈડલી - ચટણી અને કઠોળ જેવા નાસ્તો આપવા માં આવી રહ્યો છે. 
 

ગરમ ગરમ અને પૌષ્ટિક નાસ્તો મેળવી અંદાજે ૫૦ થી વધુ બાળકોના ચહેરા પર આવેલ સ્મિત અદભુત હૉય છે. સંસ્થા દ્વારા અહીં વધુ પ્રવૃત્તિઓ પણ થતી રહેશે તેવું સંસ્થા પ્રમુખ જણાવી રહ્યા છે.આંગણવાળીમાં સતકર્મ કરવા માટે શિલ્પાબેન મશરૂ અમલાની, નરેન્દ્રભાઈ રાઠોડ, રાજુભાઈ ત્રિવેદી અને મેંગોપીપલ પરીવાર ની જામનગર ટીમ દ્વારા સુંદર જહેમત ઉઠવામાં આવેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર છેલ્લા ૪ વર્ષ થી રાજકોટ અને જામનગર ની ઝુપડપટ્ટી માટે સતત કાર્યશીલ સંસ્થા છે. સંસ્થા આવા બાળકો માટે ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવી રહી છે. સંસ્થા ની વધુ માહિતી માટે પ્રમુખ શ્રી મનીષભાઈ રાઠોડ ( મો. ૯૨૭૬૦૦૭૭૮૬/૯૨૨૭૦૦૭૭૮૬) નંબર પર સંપર્ક કરવા અનુરોધ છે.

ટિપ્પણીઓ નથી: