આજથી ૬ દિવસ પહેલા બાબરા પંથકમાં પુત્રના બાઈક પરથી ગબડેલી માતાનું સારવાર દરમિયાન રાજકોટની સિવિલ હોસ્પીટલમાં મોત થયું હતું.
માતાના મોતનું પુત્ર જ નિમિત બન્યો હોય તેવી કરુણાંતિકાની વિગતો મુજબ બાબરા તાલુકાના ઈશાપર ગામના વિલાશબેન ધરમદાસ(ઉ.૪૨) નામના મહિલા તેમના પુત્રના બાઈક પર બેસીને જતા હતા.
ત્યારે વિશાપર-બિલડી રોડ પર અકસ્માતે બાઈકનું ટાયર ફાટતા ડ્રાઈવિંગ પરનો કાબુ ગુમાવતા વિશાલબેન બાઈક પરથી રોડ પર પટકાતા તેમને ગંભીર ઈજાઓ થઇ હતી. દરમિયાન ૬ દિવસની સારવાર દરમિયાન ગઈકાલે વિશાલબેનનું રાજકોટની સિવિલ હોસ્પીટલમાં મોત થતા હોસ્પિટલ ચોકી સુત્રોએ બાબરા પોલીસને જાણ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો