અનુયાયીઓ

શનિવાર, 1 ડિસેમ્બર, 2018

જંગવડ ગામના બાઈક ચાલકનું અકસ્માતમાં મોત નીપજાવનાર કાર ચાલક ઓળખાયો


પોકેટ કોપ એપ્લીકેશન વધુ એકવાર પોલીસ માટે આશીર્વાદરૂપ
રાજકોટ તા.૧
આજથી પંદરેક દિવસ પહેલા આટકોટ પંથકમાં જંગવડ ગામના બાઈક ચાલકને હડફેટે લઈને મોત નીપજાવી નાશી છુટેલા કાર ચાલકને આટકોટ પોલીસે પોકેટ કોપ એપ્લીકેશન દ્વારા ઓળખી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ જંગવડ ગામના હંસરાજભાઈ જાદવભાઈ રંગાણી પોતાનું જીજે ૦૩ સી એફ ૩૪૩૭ નંબરનું બાઈક લઈને વીરનગરથી આટકોટ તરફ આવતા હતા ત્યારે જસદણ-આટકોટ રોડ પર ચંદુભાઈની વાડી સામે ૩૭૧૩ નંબરની સફેદ કલરની મારુતિ ઝેનના ચાલકે હડફેટે લઈને હંસરાજભાઈનું મોત નીપજાવેલ.

બનાવ સમયે અકસ્માત સર્જનાર કારના પુરા સીરીઝ સાથેના નંબર ના હોય આટકોટ પોલીસ તંત્ર ધંધે લાગ્યું હતું. પણ આવા અધૂરા કલર અને કારનો કલર સહિતની વિગતો પોકેટકોપ એપ્લીકેશનમાં અપલોડ કરી પોલીસે તપાસ કરતા ઉપરોક્ત નંબરની કાર પાંચવડાના મહેન્દ્ર નાનાલાલ વ્યાસની હોવાનું બહાર આવતા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું આટકોટ પોલીસના પીએસઆઈ બી.એફ.ચૌધરી જણાવે છે.

ટિપ્પણીઓ નથી: