રૂ.૧૨.૫૦ લાખ ૧૦ ટકાના વ્યાજે લીધા બાદ ચૂકવી દીધા છતાં ત્રાસ યથાવત રહેતા
રાજકોટની રેટીના હોસ્પીટલના ડો.મુકેશ પોરવાલ સહીત ૫ શખ્શો સામે
કોટડાસાંગાણી પોલીસમાં નોંધાયો ગુનો : પોલીસ તપાસનો ધમધમાટ
રાજકોટ તા.૧
રાજકોટ જીલ્લાના, કોટડાસાંગાણી તાલુકાના રાજપર ગામના એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફિનાઈલ પી જતા તેમને સારવાર માટે દવાખાને ખસેડાયો છે. હોસ્પિટલ બિછાનેથી રાજકોટના ડોક્ટર સહિતના પાંચેક શાખ્શોના ત્રાસ-ધમકીથી કંટાળીને આ પગલું ભર્યાનું પોલીસને જણાવ્યું હતું. કોટડાસાંગાણી પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો અન્વયે પાંચેક શખ્શો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ કોટડાસાંગાણી તાલુકાના રાજપરા ગામે રહેતા નીલેશભાઈ લલીતભાઈ ગોહેલ(ઉ.વ.૩૦) નામના યુવાને પોતાના ઇંટોના ભઠ્ઠાના ધંધા માટે સગાભાઈ હરીશભાઈ મારફતે રાજકોટમાં રેટીના હોસ્પિટલના ડો. મુકેશ પોરવાલ પાસેથી અલગ અલગ સમયે રૂપિયા ૧૨.૫૦ લાખ ૧૦ ટકાનાં વ્યાજે લીધા હતા.
જે પૈસા ચૂકવાઈ ગયા હોવા છતાં નીલેશભાઈ અને તેમના ભાઈ હરીશભાઈ પાસેથી વધારે પૈસા પડાવવા, બંનેને ફોન પર ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય તેમજ આજથી આઠેક માસ પહેલા હરીશભાઈનું અપહરણ કરી, જાતી પ્રત્યે હડધૂત કરી તેમને હેરાન પરેશાન કરતા હોય, આ વાતી ડરી ગયેલા નીલેશભાઈએ ફિનાઈલ ગટગટાવી લીધું હોવાનું બાહર આવ્યું છે.
ફિનાઈલ પી જવાથી અસરગ્રસ્ત નીલેશભાઈના નિવેદન પરથી કોટડાસાંગાણી પોલીસે રેટીના હોસ્પિટલ રાજકોટના ડો.મુકેશ પોરવાલ, તેમનો માણસ, રજુ તેમજ તમની સાથેના ૨ અજાણ્યા માણસો મળી કુલ પાંચેક શખ્શો સામે આઈપીસી ૩૮૭, ૩૬૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૫૦૭, ૨૯૪(ખ), ૧૧૪, એટ્રોસિટી ની કલમ ૩(૧)(આર)(એસ) તથા ૩(૨)(૫-એ) તથા મી લેણદાર એક્ટ ૫,૪૦ અન્વયે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કરેલ છે.
રાજકોટની રેટીના હોસ્પીટલના ડો.મુકેશ પોરવાલ સહીત ૫ શખ્શો સામે
કોટડાસાંગાણી પોલીસમાં નોંધાયો ગુનો : પોલીસ તપાસનો ધમધમાટ
રાજકોટ તા.૧
રાજકોટ જીલ્લાના, કોટડાસાંગાણી તાલુકાના રાજપર ગામના એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફિનાઈલ પી જતા તેમને સારવાર માટે દવાખાને ખસેડાયો છે. હોસ્પિટલ બિછાનેથી રાજકોટના ડોક્ટર સહિતના પાંચેક શાખ્શોના ત્રાસ-ધમકીથી કંટાળીને આ પગલું ભર્યાનું પોલીસને જણાવ્યું હતું. કોટડાસાંગાણી પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો અન્વયે પાંચેક શખ્શો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ કોટડાસાંગાણી તાલુકાના રાજપરા ગામે રહેતા નીલેશભાઈ લલીતભાઈ ગોહેલ(ઉ.વ.૩૦) નામના યુવાને પોતાના ઇંટોના ભઠ્ઠાના ધંધા માટે સગાભાઈ હરીશભાઈ મારફતે રાજકોટમાં રેટીના હોસ્પિટલના ડો. મુકેશ પોરવાલ પાસેથી અલગ અલગ સમયે રૂપિયા ૧૨.૫૦ લાખ ૧૦ ટકાનાં વ્યાજે લીધા હતા.
જે પૈસા ચૂકવાઈ ગયા હોવા છતાં નીલેશભાઈ અને તેમના ભાઈ હરીશભાઈ પાસેથી વધારે પૈસા પડાવવા, બંનેને ફોન પર ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય તેમજ આજથી આઠેક માસ પહેલા હરીશભાઈનું અપહરણ કરી, જાતી પ્રત્યે હડધૂત કરી તેમને હેરાન પરેશાન કરતા હોય, આ વાતી ડરી ગયેલા નીલેશભાઈએ ફિનાઈલ ગટગટાવી લીધું હોવાનું બાહર આવ્યું છે.
ફિનાઈલ પી જવાથી અસરગ્રસ્ત નીલેશભાઈના નિવેદન પરથી કોટડાસાંગાણી પોલીસે રેટીના હોસ્પિટલ રાજકોટના ડો.મુકેશ પોરવાલ, તેમનો માણસ, રજુ તેમજ તમની સાથેના ૨ અજાણ્યા માણસો મળી કુલ પાંચેક શખ્શો સામે આઈપીસી ૩૮૭, ૩૬૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૫૦૭, ૨૯૪(ખ), ૧૧૪, એટ્રોસિટી ની કલમ ૩(૧)(આર)(એસ) તથા ૩(૨)(૫-એ) તથા મી લેણદાર એક્ટ ૫,૪૦ અન્વયે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કરેલ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો