અનુયાયીઓ

શનિવાર, 1 ડિસેમ્બર, 2018

યુવા એજ્યુકેશન ચેરી.ટ્રસ્ટ દ્વારા અજમેર શરીફ ટુરનું આયોજન


૩૦ મહિલાઓને વિનામૂલ્યે અજમેર મોકલાયા

રાજકોટ તા.૧
યુવા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા શહેરના ૩૦ મુસ્લિમ બિરાદર મહિલાઓએ વિનામૂલ્યે અજમેર શરીફના દર્શનાર્થે મોકલવાની સેવા કરવામાં આવી છે.

આ બાબતે વિગતો આપતા યુવા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના હાજી યુસુફભાઈ જુણેજા તેમજ રાજનભાઈ જુણેજાએ જણાવેલ કે આજે તા.૧-૧૨ ના રોજ સાંજે ૭ કાલકે રાજકોટથી અજમેર શરીફ જવા મહિલાઓને લઈને નીકળાશે. દિલ્હી-સરાઈ રોહિલા એક્સપ્રેસ માં તમામ મહિલાઓને વિનામૂલ્યે મોકલવામાં આવ્યા છે.

મુસાફરી દરમિયાન આવવા જવાનો તેમજ સવાર, બપોર, રાત્રી ભોજન અને નાસ્તાનો ખર્ચ પણ આયોજક સંસ્થા ઉઠાવશે.તા.૨-૧૨ ના રોજ અજમેર શરીફ પહોચ્યા બાદ ત્યાં રિક્ષાભાડું તેમજ હોટેલ ખર્ચ પણ સંસ્થા દ્વારા ચુકવાશે. શહેરની સંસ્થા યુવા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ કરાયેલી આવી સેવા બદલ સૌમાં સરાહના થઇ રહી છે.



ટિપ્પણીઓ નથી: