વિદ્યાર્થી સત્કાર સમારંભ-યજ્ઞ પણ યોજાયા
રાજકોટ તા.૧
તાજેતરમાં જેતપુર તાલુકાના જેતલસર ગામે જેતલસરા દાદાની જગ્યાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગર્ગસ ગૌત્ર પરિવારજનોનું સ્નેહમિલન, યજ્ઞ અને વિદ્યાર્થી સત્કાર સમાંરભ કાર્યક્રમો યોજાયા હતા.
જેમાં બહોળી સંખ્યામાં બ્રહ્મસમાજ પરિવારજનો હાજર રહ્યા હતા. આ બાબતે વિગતો આપતા ગર્ગસ ગૌત્ર જેતલસરા દાદાના પ્રમુખ વિનોદભાઈ દયાશંકરભાઈ જોશીએ જણાવેલ કે, ગર્ગસ બ્રહ્મ પરિવારજનોના કુળદેવતા પુ.જેતલસરદાદાની જગ્યાએ જયંતભાઈ ઇન્દુલાલ જોષી(લુણાગરા)ના શાસ્ત્રીજી પદે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
અ તકે તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ, સ્નેહમિલન અને દાદાના ઉતારાની બાજુમાં સામુહિક પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે ત્રિવિધ કાર્યક્રમોનો બહોળી સંખ્યામાં ગર્ગસ ગૌત્ર પરિવારજનોને લાભ લીધો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો