જેતપુરના યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત...
અન્ય એક યુવાનનું વીજશોકથી અને પરિણીતાનું દવા પીવાથી મોત થયાની ઘટનાઓ પોલીસ દફતરે
જેતપુર તા.૧૮
જેતપુર શહેર દફતરે આજે જુદા જુદા ત્રણ કમોતના બનાવો નોંધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ અહીના ટાકુડીપરા વિસ્તારમાં રહેતા અપરણિત યુવાન કાનજી પરબત ગોહેલ(ઉ.વ.૩૫) એ આજે કોઈ અગમ્યો કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી નાખ્યાની ઘટના પોલીસ દફતરે નોંધાતા જમાદાર ખરાડીએ તપાસ હાથ ધરી છે.
વંદા મારવાની દવા પી લેનાર પરિણીતાનું મોત
જેતપુર તા.૧૮
અહીના જગાવાલા ચોરા વિસ્તારમાં રહેતા ફર્ઝાનાબેન સલીમભાઈ મકરાણી નામની ૩૪ વર્ષીય પરિણીતાની લાશ આજે અહીના ભાદરના પુલ પાસેથી મળી આવતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ લાશને પીએમ માટે અહીના સરકારી દવાખાને ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ ફરઝાનાબેનનું મોત વંદા મારવાની દવા પીવાથી મોત થયાનું પ્રાથમિક તારણ જાહેર કર્યું હતું. આ મુસ્લિમ પરિણીતાને શા માટે દવા પીવી પડી તે અંગે જમાદાર નવીનભાઈએ તપાસ હાથ ધરી છે.
જેતપુરના યુવાનનું વીજશોકથી મોત
જેતપુર તા.૧૮
અહીના બોખલા દરવાજા વિસ્તારમાં આવેલ કોળી લાઈનમાં રહેતા ગોવિંદ મનસુખ તરવાડીયા(ઉ.વ.૨૫) ને આજે પોતાના ઘરે વીજશોક લાગતા બેભાન હાલતમાં અહીના સરકારી દવાખાને ખસેડેલ. પણ ગોવિદને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. બનાવની વધુ તપાસ જમાદાર ખરાડીએ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો