છેલ્લા ૨૦ દિવસ થયા અહી પૈસા ના આવતા હોવાની રાવ
જેતલસર જંકશનમાં સ્ટેટબેન્કનું એટીએમ સેન્ટર શોભાના ગાંઠીયા સમાન ! ગ્રાહકો હેરાન હેરાન !!
જેતલસર તા.૫ (કશ્યપ જોશી દ્વારા)
જેતલસર જંકશનમાં ઉભા કરાયેલ સ્ટેટબેંકના એટીએમ સેન્ટરમાં છેલ્લા ૨૦ દિવસ થયા પૈસા ઉપલબ્ધ ના કરાવાતા હોય આ એટીએમ સેન્ટરનો ઉપયોગ કરનાર ગ્રાહકો ભારે હેરાન પરેશાન થઇ રહ્યાની ફરિયાદો ઉભી થયાની વિગતો મળી રહી છે.
આ બાબતે જેતલસર જંકશનના રણમલભાઈ વાણીયા સહિતના બેંક ગ્રાહકોની ફરિયાદ છે કે જેતલસર જંકશનમાં હાલના દિવસોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એટીએમ સુવિધા ઉભી કરતા આ એટીએમ સેન્ટરનો ૧૫૦-૨૦૦ બેંક ગ્રાહકો હર્ષભેર લાભ લઇ રહ્યા છે. પણ છેલ્લા ૨૦ દિવસ થયા અહી એક પણ પૈસો ઉપલબ્ધ કરાવાયો ના હોય, આ એટીએમ સેવાનો લાભ લેતા બેંક ખાતેદારોમાં દેકારો મચી ગયો છે.
આ બાબતે જેતલસર જંકશનના બેંક ગ્રાહકો કહે છે કે ભલે તેઓ સ્ટેટ બેન્કના ગ્રાહકો ના હોય, અને સ્થાનિક યુનિયન બેન્કના ગ્રાહકો હોય, પણ આ સેવા ઉભી કારાઈ એટલે લાભ સૌ લેવાના ! આ વાતને ધ્યાને લઈને જેતપુર સ્થિત સ્ટેટ બેન્કના સુત્રો તાકીદે જંકશનના તેઓના એટીએમ સેન્ટરમાં પૈસા ઉપલબ્ધ કરાવી ગ્રાહકોનો દિવાળી જેવો તહેવાર ના બગાડે અને ઓછી હેરાનગતિએ એટીએમ દ્વારા પૈસા મળતા થઇ તેવી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવાઈ છે.
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો