જેતપુરના ધરાશાસ્ત્રીનો તેમનાજ મકાનમાંથી
મૃતદેહ મળતા ચકચાર: લાશ ફોરેન્સિકમાં મોકલાઈ
જેતપુર તા.૨૩ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરના એક જાણીતા ધારાશાસ્ત્રી જગદીશ રામાણીની લાશ તેમનાજ ઘરમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં મળતી આવતા ચકચાર જાગી છે. જો કે પોલીસે આ શંકાસ્પદ લાશને પીએમ માટે રાજકોટ ખાતે ફોરેન્સીકમાં મોકલી હોવાનું પોલીસ જણાવે છે.
મળતી વિગતો મુજબ અહીના અમરનગર રોડ પર આવેલ કદમ એપાર્ટમેન્ટમાં બ્લોક નંબર ૧૦૨ નો દરવાજો છેલ્લા બે ત્રણ દિવસ થયા બંધ હોય અને રૂમના દરવાજા વાતે બદબૂ ફેલાતી હોય, અચરજ સાથે પાડોશીઓએ જગદીશભાઈ રામજીભાઈ રામાણીના અન્ય પરિવારજનોને જાણ કરી દરવાજો ખોલાવતા અંદર જગદીશભાઈની આશરે ૨ દિવસની કોહવાઈ ગયેલી લાશ મળતા પડોશીઓ સહિતના સ્વજનો સ્તબ્ધ થઇ ગયા હતા.
દરમિયાણ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ પીએમ માટે અહીના સરકારી દવાખાને ખસેડેલ. પણ ત્યાં તબીબીસુત્રોના કહેવા અનુસાર કોહવાઈ ગયેલી લાશને પીએમ માટે રાજકોટ ફોરેન્સિક લેબો.માં મોકલી છે.
પોલીસને પ્રાથમિક વિગતો મળી હતી કે જગદીશભાઈ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલ હતા. તેમજ લોકચર્ચાઓ મુજબ બબ્બેવાર લગ્ન સંબંધોમાં ભંગાણ સર્જાયા હોય, ગુમસુમ અવસ્થામાં એકલવાયું જીવન જીવતા હતા. પાડોશીએ એવી પણ વિગત આપી હતી કે છેલ્લા એક અઠવાડિયા થયા તો જગદીશભાઈ પોતાના ઘરની બહાર નીકળતા ના હતા, તેમજ ખોરાક પણ બંધ કરી દીધો હતો.
પોલીસે બનાવની ઊંડી તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી પ્રતિનિધિ જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો