અનુયાયીઓ

શુક્રવાર, 23 ઑક્ટોબર, 2015

જેતપુરમાં તાજીયાના જુલુસ નીકળ્યા

જેતપુરમાં તાજીયાના જુલુસ નીકળ્યા 
જેતપુર તા.૨૩
મહોર્રમ માસ દરમિયાન છેલ્લા નવ દિવસ થયા જેતપુરના મુસ્લિમ બિરાદરો દ્વારા બનાવાતા તાજીયા આજે પોતપોતાના માતમમાં આવ્યા હતા. શહેરના મહાત્મા ગાંધી રોડ પર યા ઈમામના નારા સાથે ફરેલા અવનવા કલાત્મક તાજીયા સાથે મુસ્લિમ બિરાદરો આવતીકાલે આસુરા મનાવશે. આ સમયે એટલેકે સવારે શહેરની તમામ મસ્જીદોમાં વિશેષ નમાઝ પઢવામાં આવશે. ત્યાર બાદ સ્વજનો ગુમાવેલા મુસ્લિમ બિરાદરો કબ્રસ્તાને પહોચી પોત પોતાના સદગત આત્માઓના શ્રાધ તર્પણ કરશે. એક ખાસ મળતી વાત મુજબ આજે અને કાલે મુસ્લિમ બિરાદરો આસુરનો રોઝું પાળશે. જે રોઝું ખોલવા અને ઈમામોની સ્મૃતિમાં ઇસાલે સવાબ કરવા માટે અનેક જગ્યાએ નીયાઝ્નું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ મુસ્લિમ વિસ્તારો સહિતના માર્ગો પર સબીલો ઉભી કરાઈ છે. આજે તા(જીયા જુલુસરૂપે ફર્યા બાદ સવારે માતમમાં આવી બપોરે માતામ્માંથી ઉઠી રાત્રીના વિસર્જિત પામશે.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

ટિપ્પણીઓ નથી: