અનુયાયીઓ

શુક્રવાર, 3 જુલાઈ, 2015

: જેતપુરમાં વરસાદી પાણીમાં તણાઈને મોતને ભેટેલા કિશોરના પરિવારને રૂપિયા 4 લાખની સહાય કરતી રાજ્ય સરકાર

જેતપુરમાં વરસાદી પાણીમાં તણાઈને મોતને ભેટેલા યુવાનના  
પરિવારને  રૂપિયા 4 લાખની સહાય કરતી રાજ્ય સરકાર 
જેતપુર તા.3
જેતપુરમાં વરસાદી પાણીએ સર્જેલી તારાજીમાં તણાઈને મોતને ભેટનાર કિશોરના પરિવારજનોને જાહેર કરેલી સહાય રૂપિયા ચાર લાખનો ચેક રાજ્ય મંત્રી, પાલિકા પ્રમુખ અને મામલતદાર દ્વારા અર્પણ કરાયો હતો.
મળતી વિગતો મુજબ જેતપુરના ગોંદરા વિસ્તારમાં ચોમાસાના પ્રથમ રાઉન્ડમાંજ તારાજી સર્જાઈ હતી. આ વિસ્તારમાં ખીરસરા રોડ પરના પાણી ફરી વળતા અનેક કાચા પોચા મકાનો ખળભળી ગયા હતા,  તો અમુક પાણીમાં ગરક થઇ ગયા હતા. વરસાદે વેરેલા આવા વિનાસમાં આ વિસ્તારનો વણઝારા કિશનભાઈ રાઠોડ નામનો યુવાન પણ પાણીમાં તણાઈને મોતને ભેટ્યો હતો. આ બાબતે સંબંધિત સરકારી તંત્રો દ્વારા રીપોર્ટ થતા રાજ્ય સરકારે કિશનભાઈના પત્ની ગૌરીબેનને રૂપિયા ચાર લાખની સહાય તાત્કાલિક જાહેર કરી હતી. 
આ રકમના ચેકની અર્પણ વિધિ માટે આજે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડિયાની હાજરીમાં આજે જેતપુરના મામલતદાર જીતેન્દ્ર ભોરણીયા અને જેતપુર નગર પાલિકાના પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાએ મૃતક કિશોરના ઘરે જઈને તેમના પત્ની ગૌરીબેનને ચેક અર્પણ કર્યો હતો તે તસ્વીરમાં દેખાય છે.
ફોટો : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

ટિપ્પણીઓ નથી: