રાધનપુર પંથકમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો અનેરો ઉલ્લાસ શિક્ષણરૂપી દિપથી સમાજમાં અજવાળાં પથરાશે મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલા
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડનગર (વાદી), વડનગર, અરજણસર, વિજયનગર અને અલ્હાબાદ ગામો ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ રાજયના શ્રમ અને રોજગાર રાજય મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલાના અધ્યક્ષસ્થાનેથી શુભારંભ કરવામાં આવ્યો હતો. શાળાઓ ખાતે મહેમાનોનું બાલિકાઓ દ્વારા કુમ કુમ તિલકથી સ્વાગત કરવામાં આવેલ હતું. રાજય મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલાના હસ્તે બાળકોને કુમ કુમ તિલક કરી ગોળથી મોં મીઠુ કરી દફતર કીટ એનાયત કરવામાં આવી હતી.અને કન્યાઓને નર્મદા નિધિ બોન્ડ આપવામાં આવ્યા હતા. અને આંગણવાડી બાળકોને રમકડાંની કીટ એનાયત કરી હતી. તિથિ ભોજન અને દફતર કીટના દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો