અનુયાયીઓ

રવિવાર, 19 જૂન, 2011

શિક્ષણજ્ઞાનથી કોઇ વંચિત ન રહે તે સૌની પહેલી ફરજ છે. સદભાગ્‍ય હંમેશા પરિશ્રમની સાથે જ હોય છે. ઃ-જિલ્‍લા કલેકટરશ્રી આશિર્વાદ પરમાર મેંદરડા તાલુકાના સમ

મેંદરડા તાલુકાના સમઢીયાળા ગામે ૨૪ તથા રાજેસર ગામે-૨૦ બાળકોના નામાંકન સાથે શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમમાં કાલાવડના ધારાસભ્‍યશ્રી આર.સી.ફળદુ એ જણાવ્‍યુ કે રાજ્યમાં શિક્ષણજ્ઞાન થી કોઇ બાળક વંચિત ન રહે તે જોવાની આપણા સૌની પહેલી ફરજ છે. રાજ્ય સરકાર શિક્ષણમાં નવિક્રાંતિ સાથે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી કોઇપણ ક્ષેત્રે ઉચ્‍ચ શિક્ષણ સુધી અનેક સવલતો સાથે અન્‍ય રાજય કરતા પણ આગળ છે.
આ પ્રસંગે જિલ્‍લા કલેકટરશ્રી આશીર્વાદ પરમારે જણાવ્‍યુ કે સદભાગ્‍ય હંમેશા પરિશ્રમની સાથે જ હોય છે. પરિશ્રમએ ભાગ્‍યની નવિદિશા ઉઘાડનાર છે. માટે શિક્ષણ પ્રત્‍યે જાગૃતિ લાવી વાલી તથા ગ્રામજનોએ બાળકોને ઘરકામ માંથી સમય આપી શિક્ષણ આપવુ જોઇએ.
આ પ્રસંગે શાળામાં નામાંકન થતા બાળકોને દફતર, શિષ્‍યવૃતિ સાથે પ્રથમ નંબરે ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને ઇનામ-પ્રમાણપત્રો ઉપસ્‍થિત મહાનુભાવોએ એનાયત કર્યા હતા. જયારે શાળાના પંટાગણમાં વૃક્ષારોપણ કરાયુ હતું. શાળાના બાળકોએ સાંસ્‍કુતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. પ્રસંગે અગ્રણીશ્રી વિનુભાઇ કથીરિયા, શ્રી જમનભાઇ શીંગાળા સરપંચશ્રી રણછોડ માથુકિયા, તાલુકા સદસ્‍યશ્રી કાનાણી શ્રી લાલજી નાગેશ્રી આચાર્યશ્રી સરવૈયા, ગ્રામ વિકાસ અધિકારીશ્રી રાઠોડ, તથા શ્રી બી.ટી.ટાંક, તથા ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બી.આર.સી કોર્ડીનેટર શ્રી જયેશભાઇ સાવલીયાએ કર્યુ હતું.

ટિપ્પણીઓ નથી: