અનુયાયીઓ

રવિવાર, 19 જૂન, 2011

લોકમેળાના આયોજન અંગેની બેઠક ૨૪ જુને યોજાશે.

રાજકોટ તા. ૧૮ જુનઃ આગામી જન્‍માષ્‍ટમીના તહેવારો નિમિત્‍તે રાજકોટ શહેર ખાતે યોજાનારા સાંસ્‍કૃતિક લોકમેળા તથા તેને સંલગ્‍ન અન્‍ય બાબતોના આયોજન અંગેની બેઠક ૨૪ જુને સાંજે ૫.૦૦ વાગ્‍યે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. લોકમેળા સંકલન સમિતિના અધ્‍યક્ષ અને જિલ્‍લા કલેકટર શ્રી એચ.એસ.પટેલના અધ્‍યક્ષસ્‍થાને યોજાનારી આ બેઠકમાં સંબંધિત વિભાગના સરકારી અધિકારીઓને ઉપસ્‍થિત રહેવા લોકમેળા અમલીકરણ સમિતિના અધ્‍યક્ષ અને રાજકોટ શહેરના નાયબ કલેકટરશ્રીની યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: