અનુયાયીઓ

રવિવાર, 19 જૂન, 2011

વનાણાંની સરકારી પડતર ખેડવાણ જમીનની હરરાજી કરાશે

પોરબંદર તા.૧૮ઃ- કુતિયાણાના સબ ડિવીઝનના નાયબ કલેકટરશ્રી પંકજ ઔંધીયાએ તા. ૧૪/૬/૨૦૧૧ના રોજ એક જાહેરનામું બહાર પાડીને તેમના કાર્યક્ષેત્રના રાણાવાવ તાલુકાના વનાણાં ગામની સર્વે નં ૮૩/૨ પૈકિ એ.૬-૦૦ ગુંઠા સરકારી પડતર જમીન જાહેર હરરાજીથી નવી અને અવિભાજય શરતે નિકાલ કરવાનું જણાવેલ છે. આ જમીનની અપસેટ કિંમત એક ચો.મી.ના રૂપીયા ૧૨૦/- મુજબ એક એકરના રૂપીયા ૪,૮૫,૬૪૦/- અને એકર ૬.૦૦ ગુંઠાની કૂલ અપસેટ કિંમત રૂપીયા ૨૯,૧૩,૮૪૦ થાય છે.
આથી ઉપરોકત જમીનની કબજા કિંમત ભરીને નવી અને અવિભાજય શરતે રાખવા ઇચ્‍છતા હોય તેવા ખેડૂત ખાતેદારોએ અરજી પુરા નામ, સરનામા સાથે સાદા કાગળ પર રૂપીયા ૩-૦૦ ની કોર્ટ ફિ ચોંડી જાહેર નામાની તારીખથી તા.૧૫/૭/૨૦૧૧ સુધીમાં નાયબ કલેકટર કચેરી મામલતદાર કચેરીના ઉપરના માળે કુતિયાણા ખાતે મળી જાય તે રીતે મોકલવા જણાવવામાં આવે છે. ખેડૂત ખાતેદાર સિવાય ની વ્‍યક્તિ હરરાજીમાં ભાગ લઇ શકશે નહીં.

ટિપ્પણીઓ નથી: