અનુયાયીઓ

રવિવાર, 19 જૂન, 2011

બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત ન રાખીએ. જુનાગઢ પાસેના આંબલીયા-મજેવડી ગોલાધર પ્રા. શાળામાં પ્રવેશોત્‍સવની ઉજવણી

શિક્ષણથી માણસના જીવનમાં આમુલ પરિવર્તન આવે છે.શિક્ષણ વગરનો માણસ દિશા વિહીન બને છે, ત્‍યારે બાળકોનાં ઉજ્જવળ ભવિષ્‍ય માટે તેમને શિક્ષણથી વંચિત ન રાખીએ. તેમ જુનાગઢ પાસેના આંબલીયા, મજેવડી અને ગોલાધર ખાતે શાળા પ્રવેશોત્‍સવમાં અગ્રણીશ્રી વજુભાઇ હિરપરા અને શ્રી કિરીટભાઇ પટેલે જણાવ્‍યુ હતું.
પ્રવેશપાત્ર ૧૨૧ બાળકોનું નામાંકન કરી તેમને શૈક્ષણીક કીટનું વિતરણ કરાયુ હતું. ઉપરાંત તેજસ્‍વી વિદ્યાર્થીઓનું બહુમાન કરી વિદ્યાર્થીઓને શિષ્‍યવૃતિ અપાઇ હતી.તાલુકા પંચાયત સામાજીક ન્‍યાય સમિતિના ચેરમેનશ્રી નારણભાઇ દેવરા, તાલુકા કારોબારી સમીતીના ચેરમેનશ્રી નીલેષ ચોથાણી, આંબલીયાના સરપંચ બીબીબેન સુમરા, બી.આર.સી. ભાવનાબેન હદવાણી, સી.આર.સી, રંજનબેન વરીયાની ઉપસ્‍થિતીમાં યોજાયેલ કાર્યક્રમમાં બહોળી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતાં.
શાળા બાળકોના ઘકડતર કરનાર સંસ્‍થા છે વિદ્યાનું મંદિર છે તેના વિકાસ માટે વાલીગણ શિક્ષકો સાથે સૈા એ જાગૃત રહેવુ આવશ્યક છે. તેમ જણાવી શ્રી હિરપરાએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. શાળાના આચર્યશ્રી હસમુખ વિકાણીએ સ્‍વાગત પ્રવચન કર્યુ હતૂં.

ટિપ્પણીઓ નથી: