તાલાળા તાલુકાના રાયડી અને જમાલપુર ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં અગ્ર સચિવશ્રી વીપુલ મિત્રાએ જણાવ્યુ કે જ્ઞાન અને સંસ્કારનું સિંચન કરે તે સાચુ શિક્ષણ, મનુષ્ય શિક્ષણ વિનાનો પશુ સમાન છે. શિક્ષિત સમાજ હશે તો વ્યસનો, કુટેવો અને દુર્ગુણો આપો આપ ખત્મ થશે. શાળામાં પ્રવેશ થતા બાળકો શાળા ન છોડે અને શિક્ષણ સારી રીતે મેળવે તે માટે માતા-પિતા તથા ગામના વાલીઓએ સહીયારા પુરૂષાર્થ દ્વારા જાગૃતિ કેળવવી જોઇએ.
આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી જીકુભાઇ સુવાગીયાએ બાળકમાં શિક્ષણ અને વાંચન પ્રત્યે રૂચિ કેળવવા તથા તેના મનગમતા વિષય તરફ લક્ષ આપવા જણાવ્યુ હતુ.
આ ઉજવણી સંદર્ભે રાયડી શાળામાં ૧૩ તથા જમાલપુરા શાળામાં ૧૬ બાળકોનાં નામાંકન સાથે દફતરકીટ, શિષ્યવૃતિ તથા પ્રથમ-દ્વિતીયને પ્રમાણપત્રો પુરસ્કાર એનાયત કરાયા હતા. શાળામાં વૃષારોપણ સાથે બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. આ પ્રસંગે સરપંચશ્રી હંસાબેન વેગડા, તાલુકા વિકાસ અધિકારીશ્રી મકવાણા, કેળવણી નિરીક્ષકશ્રી રાવલ આચાર્યશ્રી કિશોર મેઘપરા, શ્રીમોવલીયા, અગ્રણીશ્રી લક્ષ્મણભાઇ ગરેણીયા, શ્રી ઉકાભાઇ ભમર,શ્રીઘુસાભાઇ કામળીયા વિશેષ ઉપસ્થિતિ શ્રી અંજુલ મિત્રા, કુ.મેઘા મિત્રા તથા ગ્રામજનો એ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો