સુરેન્દ્રનગર, તા. ૧૭/૬ – સુરેન્દ્રનગર જિલ્લામાં માહે જૂન – ૨૦૧૧ના માસ દરમિયાન નાયબ સેક્શન અધિકારી તથા નાયબ મામલતદારની વર્ગ – ૩ ની જગ્યાની ભરતી માટેની પ્રાથમિક કસોટીની પરીક્ષા ગુજરાત જાહેર સેવા આયોગ – અમદાવાદ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર – જોરાવરનગર તથા વઢવાણના પરીક્ષા કેન્દ્રો ઉપર લેવાનાર હોઈ, ઉમેદવારોને પરીક્ષા આપવામાં ખલેલ ન પડે તેમજ શાંત – સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષાના સરળ સંચાલન માટે પ્રતિબંધ મુકવાનું જરૂરી જણાતા સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના દયામયી માતા હાઈસ્કૂલ, જ્ઞાનસેતુ વિદ્યાલય, એમ. પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ – સેન્ટર – એ, એમ. પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ – સેન્ટર – બી, આર. પી. પી. ગર્લ્સ હાઈસ્કૂલ, સંસ્કૃતિ સ્કુલ ઓફ થોટ્સ સેન્ટર – એ, સંસ્કૃતિ સ્કુલ ઓફ થોટ્સ સેન્ટર – બી, શેઠ એન. ટી. એમ. હાઈસ્કૂલ, શ્રી સી. યુ. શાહ ઈંગ્લીસ હાઈસ્કૂલ, શ્રી ડી. એન. ટી હાઈસ્કૂલ, શ્રી દાજીરાજ હાઈસ્કૂલ, શ્રી જવાહર નહેરૂ વિવિધલક્ષી વિદ્યાલય, શ્રી કે. પી. ગર્લ્સ હાઈસ્કૂલ, શ્રી એમ. પી. શાહ કોમર્સ કોલેજ સેન્ટર – એ, શ્રી એમ. પી. શાહ કોમર્સ કોલેજ સેન્ટર – બી, શ્રી એન. ડી. રાવલ ઈંગ્લીશ હાઈસ્કૂલ, શ્રી પી. જી. એન. એમ.એસ. ગર્લ્સ હાઈસ્કૂલ એન્ડ શ્રી એમ. કે. દીવાન હાયર સેકન્ડરી સ્કૂલ, શ્રી આર. એ. પટેલ બોયઝ હાઈસ્કૂલ, શ્રીમતી એસ. જે. વરમોરા મહિલા કોલેજ, શ્રીમતી સદ્દગુણા સી. યુ. શાહ હોમ સાયન્સ એન્ડ સી. યુ. શાહ આર્ટસ એન્ડ કોમર્સ મહિલા કોલેજ, શ્રીમતી સદ્દગુણાબેન સી. યુ. શાહ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ, શ્રીમતી સવિતાબેન વાડીલાલ વકીલ માધ્યમિક શાળા, તીરૂપતી કન્યા વિદ્યાલય તથા અલ્ટ્રાવિઝન એકેડમી પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ શાંતીથી પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા કેન્દ્રથી ચો તરફ ૨૦૦ મીટરના વિસ્તારમાં ઉમેદવારો તથા પરીક્ષાનું સંચાલન કરનાર અધિકૃત સક્ષમ અધિકારીશ્રી તરફથી આપવામાં આવેલ ઓળખપત્ર ધરાવતી વ્યક્તિઓ અને પરીક્ષા કેન્દ્ર ઉપર ફરજ પર હોય તે વ્યક્તિઓ સિવાય અન્ય વ્યકતિઓના પ્રવેશ ઉપર તારીખ ૨૬/૬/૨૦૧૧ ના દિવસ માટે પ્રતિબંધ ફરમાવેલ છે.
આ ઉપરાંત આ દિવસે સવારના ૧૧.૩૦ કલાકથી બપોરના ૧..૩૦ કલાક સુધી ધોંધાટ કરે તેવા વાહનો ઉપર તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૨૦૦ મીટરની મર્યાદામાં વાહનો પાર્ક કરવા ઉપર તથા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુમાં આવેલી તમામ ઝેરોક્ષ મશીનોની દુકાનોના સંચાલકો દ્વારા પરીક્ષા સમય દરમિયાન થતી ગેરરીતીઓ અટકાવવા સારૂં પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ એક કિલોમીટરના વિસ્તારમાં આવેલ તમામ ઝેરોક્ષ મશીનોની દુકાનો પરીક્ષાના દિવસો દરમિયાન ચાલુ રાખવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર કે તેમાં મદદગારી કરનાર વ્યકિત દંડ અને શિક્ષાને પાત્ર થશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો