સાબરકાંઠા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ૨૦૧૧ના ભાગરૂપે વિશેષ આદિજાતિ વસતી ધરાવતા ખેડબ્રહમા તાલુકાના વિખરણ અને ઉંચીધનાલ ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમ્યાન ધોરણ ૧ માં ૭૧ બાળકોને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઉમળકાભેર આવકારી મહાનુભાવોના હસ્તે પ્રવેશ અપાયો હતો.
આ પ્રસંગે શાળાના બાળકોને શૈક્ષણિક કીટસનું વિતરણ કરતા પ્રાંત અધિકારી શ્રી ખેડબ્રહમા આર.આર. ઠકકરે શિક્ષણ થકી જ સારા સંસ્કારોનું સિંચન થાય છે. અને જીવન ચારિત્રય ઘડતરનું નિર્માણ થાય છે. જેથી ગામની શાળામાં પ્રવેશપાત્ર એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે શાળામાં નિયમિત મોકલવા અને પ્રાથમિક શિક્ષણ પુર્ણ કરે તેની ખાસ કાળજી લેવી જોઇએ. ખેડબ્રહમા જૂથના સી.આર.સી. ગિરીશભાઇએ રાજય સરકારની શિક્ષણની યોજનાને સમજાવવા જણાવ્યું હતુ કે અંતરિયાળ વિસ્તારના બાળકોને ઉચ્ચ અભ્યાસ કરતા બહુ દુર જવુ ના પડે તે માટે પ્રાથમિક શાળામાં ધોરણ ૮ નો સમાવેશ કરાવવામાં આવ્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો