વડોદરા, ૧૭ જૂન, (શુક્રવાર) સંકલીત બાળ વિકાસ યોજના હેઠળ ૩૫ વર્ષથી આંગણવાડીઓનું સંચાલન થતું હોવા છતાં, ગામના ભૂલકાંઓની સંભાળ લેવાનું અધરું કામ કરનારી આંગણવાડી કાર્યકરોને ગામમાં કોઇ આદર મળતો ન હતો કે તેમની કોઇ ઓળખ ન હતી.
મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે ભારત પ્રથમવાર મહિલા અને બાળ વિકાસ વિભાગની સ્થાપના કરનાર ગુજરાતે તેમની આગવી ઓળખ ઉભી કરી છે. રાજયની તમામ ૫૦ હજાર આંગણવાડીઓના મકાનો બનાવવામાં આવી રહયાં છે. તમામ આંગણવાડીઓને ગેસ જોડાણ, ચુલા અને કૂકર્સ આપવામાં આવ્યાં છે. બાળકો, કિશોરીઓ અને સગર્ભાઓ માટેની રૂા. ૭૦૦ કરોડની પોષક આહાર યોજનાનો અમલ આગણવાડીઓ દ્વારા કરવામાં આવે છે. શિરો, સુખડી, ઉપમાના પિ્રમીકસ પોષક આટાઓમાંથી ૭૨ પ્રકારની વાનગીઓ બનાવવાનું માર્ગદર્શન આપતી પુસ્તિકાનું પ્રકાશન કર્યું છે. હવે આઇસીડીએસના સીડીપીઓ તેમજ પ્રોગ્રામ અધિકારી બહેનોને આગવી ઓળખ આપતો ગણવેશ રાજય સરકાર આપશે. કાર્યકર બહેનોને વર્ષની ત્રણ સાડી આપવામાં આવશે.
ભારત સરકારે ગુજરાતની આ પહેલોની નોંધ લીધી છે અને ગુજરાતની સંકલીત બાળ વિકાસ યોજનાને આદર્શ ગણાવીને, અન્ય રાજયોને તેને અનુસારવાની ભલામણ કરતો જીઆર બહાર પાઠયો છે એમ તેમણે ઉમેર્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો