અનુયાયીઓ

શુક્રવાર, 17 જૂન, 2011

નવસારી જિલ્લાના  પ્રભારી  સચિવશ્રી એ.કે.રાકેશના અધ્યક્ષસ્થાને વિવિધ વિકાસ કામોની સમીક્ષા બેઠક મળી
સૌ ભેગા મળી ગામને શિક્ષિત બનાવીએ - રાજય કુટીર ઉઘોગ મંત્રી રણજીતભાઇ ગીલીટવાલા


છેવાડાના અંતરિયાળ ગામોમાં ૧૦૦ જેટલ આદિવાસી બાળકોને શાળા પ્રવેશ કરાવતા કુટીર રાજયમંત્રી
 વાંસદા/નવસારી ઃ શાળા પ્રવેશોત્સવના રાજય વ્યાપી અભિયાનના બીજા દિવસે રાજય કુટીર ઉઘોગ મંત્રી શ્રી રણજીતભાઇ ગીલીટવાલાએ વાંસદા તાલુકાના છેવાડાના મહારાષ્ટ્રને અડીને આવેલા બીલમોડા, ખાંભલા, આંબાપાણી ગામે ૧૦૦ જેટલા આદિવાસી બાળકોને શાળા પ્રવેશ કરાવી, સૌ સાથે ભેગા મળી ગામને સો ટકા સાક્ષર બનાવવા અનુરોધ કર્યો હતો.
નાના ભુલકાંઓને કુમકુમ તિલક કરી, ધોરણ-૧ માં શાળા પ્રવેશ કરાવતા કુટીર રાજયમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અગાઉના વર્ષો બાળકોને ભણાવવા શાળાએ મુકવા જવું પડતું હતું, હવે સરકારના અધિકારીઓ-શિક્ષકો ધરે આવી, સમજાવી બાળકોને વાજતે-ગાજતે શાળા પ્રવેશ કરાવે છે, ત્યારે વાલીએ શિક્ષણ પ્રત્યેની ભાવના કેળવવી જોઇેએ.  ગુજરાતના છેવાડાનો બાળક ઉચ્ચ શિક્ષણ મેળવી રાજય-રાષ્ટ્રનું નામ રોશન કરે, તેવી રાજયના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની અભિલાષા છે. જે આજે સાચા અર્થમાં સાર્થક બની રહી છે. દિકરીને ભણાવવાની અપીલ કરતા તેમણે જણાવ્યું હતું કે, દિકરી ભણશે તો સમાજમાં જાગૃતિ આવશે, જેનાથી સમાજમાં સુધારાત્મક પરિવર્તન આવશે.
 બીલમોડા નિર્મળ ગામ છે. અહીં કન્યા શિક્ષણનો દર ૩૫ ટકા જેટલો છે. જેથી કન્યા શિક્ષણને વેગવાન બનાવવા મંત્રીશ્રીએ ખાસ ભાર મુકયો હતો.
 જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી મહેશભાઇ ગામીત, જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી નુતનબેન પટેલ, તાલુકા પંચાયત વાંસદા પ્રમુખ શ્રીમતી રાજેશ્રીબેન થોરાટ, સરપંચ શ્રી બાબજુભાઇ ગાયકવાડ સહિત ગામજનો શાળા પ્રવેશોત્સવ અભિયાનમાં જોડાયા હતા.                                 


કન્યાકેળવણી/શાળા પ્રવેશોત્સવ થકી આદિજાતી બાળકોમાં શિક્ષણે ભૂખ જાગી છે.--- સંસદીય સચિવશ્રી હર્ષદભાઈ વસાવા
અજરાઈ ગામે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ઃ

નવસારીઃ
છેલ્લા નવ વર્ષની રાજ્યભરમા કન્યા કેળવણી/શાળા પ્રવેશોત્સવ ઉજવાય રહ્યો છે.જેના થકી આજે આદિજાતી વિઘાર્થીઓમાં શિક્ષણની ભૂખ જાગી છે, એમ સંસદીય સચિવશ્રી હર્ષદભાઈ વસાવાઅ આજે ગણદેવી તાલુકાના અજરાઈ ગામે નાના ભૂલકાઓની શાળામાં  પ્રવેશ આપ્યો ત્યારે યોજાયેલ કાર્યક્રમ પ્રસંગે જણાવ્યુ હતું.
ચિંતીત હતા.જેથી સમાજના છેવડાનો માણસ શિક્ષણથી વંચિત ન રહે તે માટે શાળામાં પ્રવેશ પ્રક્રિયાને એક તહેવારની જેમ ઉત્સવ તરીકે ૨૦૦૩ થી ઉજવવામાં આવે છે. આજે દેશના અન્ય રાજયો કરતાં ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં તમામ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત કરવામાં આવી છે અને શિક્ષણનું સ્તર પણ ઊંચુ આવ્યું છે.
તેમણે વાલીઓએ પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલી ઉચ્ચ ગુણવત્તાવાળુ શિક્ષણ મેળવતો થાય એવા પ્રયત્નો કરવા પર ખાસ ભાર મૂકયો હતો.
 આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગણદેવીના ધારાસભ્ય શ્રી લક્ષ્મણભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું કે, આપણા બાળકો ભણશે તો જ આગળ આવી શકશે, શિક્ષણ વગર જીવન નકામુ છે. આ માટે તમામ વાલીઓએ પોતાનું બાળક નિયમતિ શાળાએ જાય તેની કાળજી લેવી જોઇએ.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એ.સત્યાએ જણાવ્યું હતું કે, અન્ય રાજયના મંત્રીઓ/અધિકારીઓ ગુજરાતના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો અભ્યાસ કરવા ગુજરાત આવે છે. જિલ્લાના ૧૮ ગામો ૧૦૦ ટકા સાક્ષર છે, આમ જિલ્લાની સારી એવી પ્રગતિ થઇ છે તેમણે રાજયના વિકાસના તમામ કાર્યોમાં લોકોને સાથ સહકાર આપવા જણાવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અજરાઇ ગામે શાળામાં પ્રવેશ મેળવનાર ૩૧ ભુલકાંઓએ શિક્ષણના અને આંગણવાડીના બાળકોને રમકડાનાં કિટ્સ વિતરણ કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા/તાલુકા પંચાયતના સદસ્યો, અગ્રણીશ્રી અશોકભાઇ ધોરાજીયા, કાર્યકરો, ગ્રામજનો, ગામના સરપંચશ્રી, વાલીઓ, આંગણવાડી વર્કરો, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીડીપીઓ શ્રીમતી રંજનબેન પટેલે કર્યુ હતું                                 

મા સરસ્વતીની સાધના કરી, શાળા પ્રવેશ કરતાં કંબોયા પ્રાથમિક શાળાના ભુલકાંઓ ઃ
લોકભાગીદારીની મિશાલ અને આદર્શ વિઘામંદિર એટલે કંબોયા પ્રાથમિક શાળા- જિલ્લા પંચાયત પ્રમુખ સુરેન્દ્રભાઇ પટેલ
ગીર ફાઉન્ડેશનના નિયામક બી.જે.પાઠકે શ્રેષ્ઠ શાળા બદલ પાઠવેલી શુભકામના

વાંસદા/નવસારીઃ
નવસારી જિલ્લામાં યોજાઇ રહેલા શાળા પ્રવેશોત્સવ દરમિયાન શિક્ષણ સાધનામાં નવો સંચાર થયો છે.  નાના નાના ભુલકાંઓમાં રહેલી શકિતનો પરિચય કંબોયા પ્રાથમિક શાળામાં નવા નામાંકન થયેલા ભુંલકાંઓએ આપ્યો હતો. પંચાયત પ્રમુખ સુરેન્દ્રભાઇ પટેલ અને ગીર ફાઉન્ડેશનના નિયામક શ્રી બી.જે.પાઠકની ઉપસ્થિતિમાં ભુંલકાઓએ મા સરસ્વતીની સાધના કરી શાળા પ્રવેશ કર્યો હતો. ગામના આગેવાનો, વડીલો અને શિક્ષકોના સહકારથી આદર્શ શાળા બની છે.  છેલ્લા પાંચ વર્ષમાં કંબોયા ગામના તમામ બાળકોનું નામાંકન થયું છે. લોકભાગીદારીથી શાળામાં પંખા, કબાટ સહિતના સાધનો રૂા.૧.૨૫ લાખથી વધુના ખર્ચે મળ્યા છે. ગુણોત્સવ-૧૦ કાર્યક્રમમાં શાળા જિલ્લામાં પ્રથમક્રમે રહી હતી. અંગ્રેજી ભાષામાં અભિનય ગીત રજૂ કરી, આદિવાસી બાળકોમાં રહેલી, શકિતનો પરિચય કરાવ્યો હતો. શિક્ષક શ્રી બળવંતભાઇ પટેલને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ મળ્યો છે. વાંચે ગુજરાત અંતર્ગત ધોરણ-૭ ના વિઘાર્થી અર્પણ ચંદુભાઇ પટેલની રાજયકક્ષાએ પસંદગી થઇ હતી.
આજે કંડોલપાડા, કાંટસવેલ, કંબોયા, લિંબારપાડા, ઢોલુમ્બર ગામે ૧૨૦ જેટલા બાળકોનું નામાંકન કરાવ્યું હતું.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, લોકજાગૃતિ સાથે બાળકોને પ્રોત્સાહિત કરવા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજાઇ છે. સાંસ્કૃતિક કાર્યક્રમો થકી બાળકોમાં નવી ચેતનાનો સંચાર થાય છે. કંઇક કરી છુટવાની ભાવના બાળકોમાં જન્મે છે. રાજય સરકારે ખાનગી શાળાઓમાં ન હોઇ તેવી કોમ્પ્યુટર લેબ સહિતની સુવિધાઓ પ્રાથમિક શાળાઓમાં આપી છે. જેના કારણે શિક્ષણની ગુણવત્તામાં સુધારો થયો છે. શાળામાં બાળકોના આરોગ્યની પણ ચકાસણી થાય છે.
 ગીર ફાઉન્ડેશનના ડાયરેકટર શ્રી બી.જે.પાઠકે શ્રેષ્ઠ શાળા બદલ અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, આજના વૈશ્વિકરણના યુગમાં ટકી રહેવા શિક્ષણ પ્રત્યેનો લગાવ મહત્વનો છે. મહેનતથી  આ બધુ શકય બને છે. નવી પેઢી આત્મ વિશ્વાસ કેળવી, શિક્ષણના માધ્યમથી જીવનને સમૃધ્ધ બનાવશે તો રાજય-રાષ્ટ્રનો વિકાસ અવ્વલ નંબરે હશે.
 મદદનીશ ખેતી નિયામક શ્રી સોલંકી, રેંજ ફોરેસ્ટ ઓફિસર શ્રી આર.જી.પટેલ, કંબોયાના સરપંચ શ્રી અરવિંદભાઇ પટેલ, સહિત ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.    

ટિપ્પણીઓ નથી: