અનુયાયીઓ

શુક્રવાર, 17 જૂન, 2011

ગુજરાત જળસંપતિ વિકાસ નિગમ લી.ગાંધીનર હસ્તકના પાતાળકુવાઓની બાકી સિંચાઇ વસુલાત પર વ્યાજમુકિત વ્યાજમુકિત યોજનાનો લાભ ૩૦મી સપ્ટેમ્બર સુધી મળશે

તા.૧૭મી જૂન, ૨૦૧૧ (શુક્રવાર) ગુજરાત જળસંપતિ વિકાસ નિગમ લી.ગાંધીનગર હસ્તકના આણંદ તથા ખેડા જિલ્લાના પાતાળકુવાઓ ઉપરની ત્રણ વર્ષ અગાઉની બાકી વસુલાત બાકીદારો એકી સાથે ભરપાઇ કરે તો બાકી વસુલાત પર ચઢેલ ૧૨ ટકા વ્યાજ માફ કરવાનો નિર્ણય નિગમ ધ્વારા લેવામાં આવ્યો છે. આ યોજના તા.૩૦-૦૯-૨૦૧૧ સુધી અમલી છે. વધુમાં આ વિભાગની મંડળી/જુથ સંચાલિત પાતાળ કુવાઓ પરની બાકી વસુલાત મંડળ/જુથ ધ્વારા વસુલ કરી આપવામાં આવશે તો વસુલાત કરેલ રકમ પર ૨ ટકા લેખે વળતર આપવાની જોગવાઇ કરેલ છે. તેમજ જે પાતાળકુવાઓને બાકી વસુલાત શૂન્ય થશે તે પાતાળકુવાઓ મંડળી/જુથને ૫(પાંચ) વર્ર્ષની અવધિથી આપવા નિર્ણય કરાયો છે.
આ વ્યાજ મુકિત યોજના સપ્ટેમ્બર-૨૦૧૧ સુધી અમલી હોઇ જિલ્લાના તમામ ખાતેદારોને વ્યાજમુકિત યોજના હેઠળ નિગમના બાકી નાણાં નિગમની કચેરીએ ભરપાઇ કરી પહોંચ મેળવી લઇ, દેવાદારીમાંથી મુકત થવા સારૂં અપીલ કરવામાં આવી છે. તેમજ મંડળી/ જુથ સંચાલિત પાતાળકુવાઓના હોદ્દેદારો પણ આ યોજના સંદર્ભ પાતાળકુવાની બાકી વસુલાત વસુલ કરવાની ૨ ટકા લેખે વળતર તેમજ વધુ પાંચ વર્ષ માટે પાતાળકુવાઓ ભાડે આપવાના નિર્ણયનો લાભ લેવા કાર્યપાલક ઇજેનર, ગુજરાત જળસંપતિ વિભાગ નંબર-૨,નડીઆદનો સંપર્ક સાધવા જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: