અનુયાયીઓ

શુક્રવાર, 17 જૂન, 2011

અમદાવાદ શહેરમાં હથિયારબંધી

જાહેર જનતાની સુલેહશાંતિ જળવાય તે માટે તા.23-6-11થી તા.21-8-11 સુધી અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્‍તારમાં દંડા, પથ્‍થર તલવાર, ભાલા, બંદુક, ખંજર, હાનિકારક સ્‍ફોટક પદાર્થો રાખવા કે મશાલ સરઘસ કે છટાદાર ભાષણ વગેરે સામાજિક અશાંતિ ફેલાવવા માટે હથિયાર વાપરવા પર પ્રતિબંધ મૂકયો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સુધીર સિન્‍હાએ જાહેરનામામાં જણાવ્‍યું છે કે પરવાનેદાર અને ફરજ પરના હાજર અધિકારી તેમજ શારીરિક અશકિતવાળા વ્‍યકિતને હથિયારબંધી હુકમ લાગુ પડતો નથી.

ટિપ્પણીઓ નથી: