અનુયાયીઓ

શુક્રવાર, 17 જૂન, 2011

શાળા પ્રવેશોત્‍સવ – ૨૦૧૧ જીવનમાં ડગલેને પગલે શિક્ષણ ઉપયોગી છે -શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા જામજોઘપુર તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભૂલકાઓ ઉમંગભેર શાળામાં પ્રવેશ્‍યા – આંગણવાડીમાં પણ બાળકોનો સત્‍કાર

જામનગર તા.૧૭ જૂન – જીવનમાં ડગલે અને પગલે શિક્ષણ ખૂબ જ ઉપયોગી છે. ભણેલો ખેડૂત કે ખેત મજૂર કદી છેતરાતો નથી. અભણ લોકોને રોજીંદી અને વ્‍યવહારોમાં જે તકલીફો પડે છે, તે તેમના બાળકોને પડે નહી અને શિક્ષણના કારણે ઉતકર્ષ થાય, તે હેતુથી પ્રત્‍યેક બાળકને અવળશ્‍ય ભણાવવાનો સંદેશ લઇએ. રાજય સરકાર છેક ગામડા સુધી આવી છે, તેમ રાજયના આયોજન પંચના ઉપાધ્‍યક્ષ શ્રી ભૂપેન્‍દ્રસિંહજી ચુડાસમાંએ જણાવ્‍યુ છે.
જામજોધપુર તાલુકાના મેલાણ, કડબાલ, નંદાણા, વનાળા અને કોટડાવાડી ગામોએ શાળા પ્રવેશોત્‍સવ દરમિયાન શ્રી ભૂપેન્‍દ્રસિંહજી ચુડાસમાંએ કૃષિ મહોત્‍સવ, ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો, સાક્ષરતા દર, પ્રાથમિક શાળાના વર્ગખંડો, વિધાસહાયકો, ઘોરણ-૮ના વર્ગોમાં પ્રારંભ, ગુણોત્‍સવ અને મુખ્‍યમંત્રીશ્રીના કન્‍યા કેળવણી નિધિ વિષે વિસ્‍તૃત વિગતો આપી, બાળકોને અવશ્‍ય ભણાવવા વાલીઓને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
પૂર્વ મંત્રીશ્રી ચીમનભાઇ સાપરિયાએ પરિવર્તનની સાથે પરિણામનું ઉતમ દષ્‍ટાંત શાળા પ્રવેશોત્‍સવને ગણાવી રાજયમાં ઉચ્‍ચ ટેકનીકલ શિક્ષણમાં વધારો, કૃષિ ઉત્‍પાદનમાં વધારો અને રાજય સરકારની વિવિધ યોજનાઓની વિસ્‍તૃત માહિતી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન બાળકોને અભ્‍યાસ કીટ, આંગણવાડીના બાળકોને સાયકલ અને રમકડાનું વિતરણ કરી કુમકુમ તિલક સાથે પ્રવેશ અપાયો હતો. તેજસ્‍વી વિધાર્થીઓને ઇનામો, વિધાલક્ષી બોન્‍ડ, ધો.૮ ના વર્ગોનો પ્રારંભ, વૃક્ષારોપણ, તિથિભોજનના દાતાઓનું બહુમાન, વિવિધ હરિફાઇમાં વિજેતાઓને ઇનામો વિગેરે કાર્યક્રમો પણ યોજાયા હતા. બાળકોએ સુંદર સાંસ્‍કૃતિક કાર્યક્રમો તથા યોગાસનો રજૂ કર્યા હતા. રાષ્‍ટ્રપતિ એવોર્ડ વિજેતા આચાર્યશ્રી પ્રવીણભાઇ જીંથરા, તાલુકા પંચાયતના પ્રમુખ દેવાભાઇ પરમાર, શિક્ષણવિદ શ્રી પી.એમ જાની, અગ્રણી શ્રી જે.પી. જાડેજા, અમુભાઇ વૈશ્‍નવી, તાલુકા વિકાસ અધિકારીશ્રી ગામીત વગેરે ઉપસ્‍થિત રહયા હતા. વિધાર્થીશ્રી સંજય અને રંજને સુંદર વકતવ્‍યો આપ્‍યા હતા.

ટિપ્પણીઓ નથી: