અનુયાયીઓ

શુક્રવાર, 17 જૂન, 2011

પોરબંદર તાલુકાના આઠ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સ્ટાફની ભરતી માટે મંગાવાતી અરજીઓ

પોરબંદર,તા.૧૭ઃઃ- પોરબંદર તાલુકાના નીચે મુજબના આઠ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક-કમ-કુક ની ખાલી પડેલ જગ્યા માટે અરજીઓ મંગાવામાં ખાવે છે.
આ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં રૂપળીબા કન્યા શાળા પોરબંદર, છાયા નરસંગ ટેકરી પ્રાથમિક શાળા, બોખીરા ચામુંડા સીમ શાળા, પ્રાથમિક શાળા, ભેટકડી, કુમાર શાળા, અડવાણા પ્રાથમિક શાળા સુખપુર, ભુવાકેડા નેશ શાળા બળેજ અને નાનજી કાલીદાસ કન્યા શાળા પોરબંદરનો સમાવેશ થાય છે.
ઉકત જગ્યા માટે અરજી ફોર્મ તા.૨૧ જુન સુધિમાં મેળવીને તા.૨૨ જુનના સાંજ સુધીમાં ભરેલ વિગત સાથેની અરજી મામલતદારશ્રી સેવા સદન-૨, સાંદીપની રોડ, પોરબંદરને પહોંચાડવા યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: