અનુયાયીઓ

શુક્રવાર, 17 જૂન, 2011

બાળકોના સર્વાંગી વિકાસ ધ્વારા દેશની આવતીકાલ ઉજજવળ બનાવીએ - પોલીસ મહાનિર્દેશક શ્રી ચિતરંજનસિંધ

કઠલાલ તાલુકાની નવી અરાલ, દેવરાકુવા(છી) અને બાગડોલ ગામોની પ્રાાથમિક શાળાઓમાં પોલીસ મહાનિર્દેશક શ્રી ચિતરંજનસિંધના હસ્તે બાળકોને શાળા પ્રવેશોત્સવ સંપન્ન

માહિતી બ્યુરો - નડિયાદ - તા.૧૭મી જૂન, ૨૦૧૧ (શુક્રવાર) રાજયના પોલીસ મહાનિર્દેશક શ્રી ચિતરંજનસિંધએ કઠલાલ તાલુકાની નવી અરાલ, દેવરાકુવા(છી) અને બાગડોલ ગામોની પ્રાાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમિયાન આજે શાળામાં પ્રવેશ મેળવાનાર બાળકોને કુમકુમ તિલક કરી પ્રવેશ કરાવ્યો હતો.
આ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમોમાં શ્રી ચિતરંજન સિંધએ બાળકોના સંર્વાંગી વિકાસ ધ્વારા દેશની આવતીકાલ ઉજજવળ બનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજય સરકારે સમગ્ર રાજયમાં બાળકોને પ્રાથમિક શિક્ષણની જવાબદારરી ઉપાડી લીધી છે ત્યારે વાલીઓએ પણ તેમનાં બાળકો નિયમિત શાળાએ જાય અને બાળક પ્રાથમિક શિક્ષણ છોડી ન દે તેની કાળજી રાખવા જણાવ્યું હતું.
શ્રી સિંધએ નવી અરાલ પ્રાથમિક શાળામાં ૭૫, દેવટાકુવા(છી) પ્રાાથમિક શાળામાં ૧૮૪ અને બગડોલ પ્રાથમિક શાળામાં ૬૦ મળીને કુલ ૩૧૯ બાળકોને પ્રવેશ અપાવી તેમને રમકડાં અને શિક્ષણની કિટસનું વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે કઠલાલ મામલતદારશ્રી વ્યાસે ઉપસ્થિત ગ્રામજનોને શિક્ષણનું મહત્વ સમજાવી પ્રવેશ પામનાર બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમના અંતમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આભારવિધિ દેવટાકુવા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ કરી હતી. આ પ્રસંગે ગામના આગેવાનો, વાલીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહી બાળકોને શુભકામનાઓ પાઠવી હતી.

ટિપ્પણીઓ નથી: