અનુયાયીઓ

શુક્રવાર, 17 જૂન, 2011

શાળા પ્રવેશોત્‍સવ – ૨૦૧૧ રાજય સરકારે બહેનો અને બાળકો માટે ઘણી યોજનાઓ બનાવી છે -શ્રી પી.પી.હર્ષ ભાણવડ તાલુકાના નેશ વિસ્‍તારોમાં ભૂલકાઓએ ધામધૂમ સાથે શાળા પ્રવેશ કર્યા

જામનગર તા.૧૭ જૂન – ભાણવડ તાલુકાના પાટણ, પાટણ બાચવડી, ગંગાજળિયા નેશ, પરડવા, અમરાપર નાળિયરી નેશ ગામોમાં અમદાવાદના સરદાર પટેલ રાજય વહિવટ ભવન(સ્‍પીપ)ના ડેપ્‍યુટી ડાયરેકટર શ્રી પી.પી હર્ષની ઉપસ્‍થિતિમાં પ્રથમ ધોરણ અને આંગણવાડીના ભૂલકાઓને પ્રવેશ અપાયો હતો.
શ્રી હર્ષના અનુરોધથી શાળાઓના બાળકો, ગામના વડીલો,બહેનો તથા સરપંચશ્રીઓના હસ્‍તે વિવિધ પ્રવૃતિઓ થઇ હતી તથા મુકત મને પરામશ થયો હતો. શાળાઓના બાળકોને અભ્‍યાસ કીટ, વિધાલક્ષ્‍મી બોન્‍ડ, શિષ્‍યવૃતી આંગળવાડીના બાળકોને રમકડા કીટ, સાયકલોની અર્પણવિધિ તેમજ તેજસ્‍વી બાળકો તથા તિથિભોજન અને શિક્ષણ માટે યોગદાન આપનાર દાતાઓનું બહુમાન કરાયુ હતું. બાળકોના હસ્‍તે વૃક્ષારોપણ કરાયું હતું.
શ્રી હર્ષે જણાવ્‍યુ હતું કે, રાજય સરકારે બહેનો તથા બાળકોના સ્‍વાસ્‍થય ઉત્‍કર્ષ અને શિક્ષણ માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે. મુખ્‍યમંત્રીશ્રીએ કન્‍યા કેળવણી માટે ઝુંબેશ શરુ કરી છે. પૂર્વકાળથી અત્‍યાર સુધી ભારતીય સંસ્‍કૃતિમાં સ્‍ત્રીઓને મહત્‍વ અપાયુ હોય કન્‍યાઓ અવશ્‍ય ભણે તે જરુરી છે. કોઇ પણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય, તે માટે શાળા પ્રવેશોત્‍સવ અને ગુણોત્‍સવા જેવા કાર્યક્રમ યોજાય છે. યુપીએસસી જેવી પરીક્ષાઓમાં પણ ગુજરાતની સામાન્‍ય પરિસ્‍થિતિના પરિવારના યુવાનો ઉતિર્ણ થવા લાગ્‍યા છે. ત્‍યારે વાલીઓ તથા ગુરૂજનો બાળકોના શિક્ષણ માટે જાગૃત રહે તે જરુરી છે.
કાર્યક્રમો દરમિયાન મામલતદારશ્રી અગ્રણીશ્રી સાપરિયા, સ્‍થાનિક આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા. શાળાના આચાર્યો તથા શિક્ષકોને કાર્યક્રમોનું સુંદર સંચાલન અને બાળકોએ સુંદર સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.

ટિપ્પણીઓ નથી: