અનુયાયીઓ

શુક્રવાર, 17 જૂન, 2011

શાળા પ્રવેશોત્‍સવ – ૨૦૧૧ ડીઆઇજી (સીઆઇડી)ની હાજરીમાં કલ્‍યાણપુર તાલુકામાં શાળા પ્રવેશોત્‍સવ ઉજવાયો

જામનગર તા.૧૭ જૂન – રાજયના ડીઆઇજી(સીઆઇડી) ક્રાઇમ શ્રી એચ.એસ ત્રિવેદીની ઉપસ્‍થિતિમાં કલ્‍યાણપુર તાલુકામાં શાળા પ્રવેશોત્‍સવ યોજાયો હતો. કલ્‍યાણપુર તાલુકાના બામણાસા, ગાગા, રણજીતપુર, નંદાણા અને રાણ ગામોએ પહેલા ધોરણ અને આંગણવાડીમાં બાળકોને વાજતે ગાજતે પ્રવેશ અપાયો હતો. તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જગાભાઇ ચાવડા, જિલ્‍લા પંચાયતના શ્રી લખુભાઇ ગોજિયા, મામલતદારશ્રી શુકલા, આગેવાનો, અધિકારીઓ તથા સરપંચશ્રીઓ આ કાર્યક્રમોમાં જોડાયા હતા.
શ્રી ત્રિવેદીએ રાજય સરકારની વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓ સમજાવી અને કન્‍યોઓ સહિત પ્રત્‍યેક બાળકોને અવશ્‍ય ભણાવા અનુરોધ કર્યો હતો. વર્તમાન યુગને અનુરૂપ ઉન્‍નત શિક્ષણ આપવા ગુરૂજનોને પણ હિમાયત કરી હતી.
કાર્યક્રમો દરિમયાન બાળકોને અભ્‍યાસ કીટ, વિધાલક્ષ્‍મી બોન્‍ડ, શિષ્‍યવૃતી અને તેજસ્‍વી બાળકોને ઇનામો અપાયા હતા. તથા શિક્ષણ માટે યોગદાના આપનાર દાતાઓનું બહુમાન કરાયુ હતું. કેળવણી નિરિક્ષકશ્રી મકવાણા તથા બીઆરસી કોઓડીનેટરશ્રીએ કાર્યક્રમો માટે જહેમત ઉઠાવી હતી. બીઆરસી કોઓડીનેટરો તથા આચાર્યશ્રીઓએ સંચાલન અને આભાર દર્શન કર્યા હતા.

ટિપ્પણીઓ નથી: