અનુયાયીઓ

શુક્રવાર, 17 જૂન, 2011

વાંચે ગુજરાત - શાળા પ્રવેશોત્‍સવ – ૨૦૧૧ ‘હું ગામના શિક્ષિત યુવનોને પુસ્‍તક વંચાવીશ‘

જામનગર જિલ્‍લામાં ઉજવાઇ રહેલા શાળા પ્રવેશોત્‍સવ દરમિયાન પ્રત્‍યેક ગામે ઉપસ્‍થિત રાજય – જિલ્‍લા કક્ષાના મહાનુભાવોના હસ્‍તે એક પુસ્‍તક તરતુ મૂકવામાં આવે છે.
જામજોધપુર તાલુકાના કડબાલ ગામે ઉપસ્‍થિત રાજય આયોજન પંચના ઉપાધ્‍યક્ષશ્રી શ્રી ભૂપેન્‍દ્રસિંહજી ચુડાસમાના હસ્‍તે ગામના યુવાન ઉપસરપંચ શ્રી નાંગેશભાઇ કરંગિયાને સુભાષચંદ્ર બોઝનું પુસ્‍તક અર્પણ કરાયું હતું.
નાંગેશભાઇ ધો.૧૦ પછી ખેતીમાં લાગ્‍યા છે. ગામના સરપંચ રાજશીભાઇ ઉત્‍સાહી અને સેવાભાવી છે. પરંતુ તેઓ અલ્‍પશિક્ષિત હોવાથી પંચાયતના સચાલનમાં અને ગામની સેવાકીય પ્રવૃતિઓમાં નાગેશભાઇ પૂરક બને છે.
નાગેશભાઇએ જણાવ્‍યુ કે, મને મળેલુ પુસ્‍તક અને બીજા પુસ્‍તકો મેળવીને હું ગામના યુવાનોને વંચાવીશ. ગામના લોકોને સમજાવીશ કે ક્ષમતા હોવા છતા સરપંચશ્રી રાજશીભાઇને અલ્‍પશિક્ષિત હોવાથી ઘણી મુશકેલીઓ પડશે. રોજીંદા જીવન અને વ્‍યવસાય ખેતી માટે પણ શિક્ષણ ઉપયોગી છે. મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની સરકાર આપણા માટે આટલુ બધુ કરે છે તો આપણે આપણા સંતાનોને અવશ્‍ય ભણાવવા જ જોઇએ. તેવો સંદેશ હું આખા ગામમાં પહોંચાડીશ.
(સંકલન-વિનોદ કોટેચા, માહિતિ બ્‍યુરો, જામનગર)

ટિપ્પણીઓ નથી: