સૂરતઃ
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે સૂરત જિલ્લામાં ૨૫૮૮ કન્યાઓ અને કુમારો મળી કુલ ૫૩૦૨ ભૂલકાઓએ વાજતે ગાજતે મહાનુભાવોના આર્શીવાદ સાથે ધો. 1 માં પ્રવેશ મેળવ્યો હતો. ભૂલકાઓને પ્રોત્સાહિત કરવા દાતાઓની પણ સરવાણી વહી રહી છે. પ્રથમ દિવસે જ રૂ. ૭૪,૪૯૭ નું રોકડ દાન અને વસ્તુના સ્વરૂપે ૧૩,૪૯,૧૧૨ મળી કુલ ૧૪,૨૩,૬૦૯ ના દાન અને ઇનામો ભૂલાકાઓને મળ્યા હતા.
ગામે ગામ શાળા પ્રવેશ ઉત્સવ સાથે ભૂલાકાઓને બળદગાડા, ઉંટગાડીઓ, ટ્રેક્ટર, ટ્રકમાં બેસાડીને શાળા સુધી લાવવામાં આવી રહ્યા છે.
આ પ્રવેશોત્સવની સાથે સાથે આ વેળાએ માધ્યમિકમાં પ્રવેશ મેળવતા એટલેકે ધોરણ-૮ માં પણ મહાનુભાવોના હાસ્તે પ્રવેશ આપવામાં આવ્યો છે. ૧૨૨૧ કન્યાઓ અને ૧૨૨૮ કુમાર મળી ૨૪૪૯ વિઘાર્થીઓએ માધ્યમિકમાં પ્રવેશ મેળવ્યો હતો.
રંગબેરંગી ટોપી, વસ્ત્રો સાથે મમ્મીની આંગળી પકડીને આવેલા નાનકડા બાળગોપાળોમાં ૧૨૫૩ કન્યાઓ ૧૨૬૩ કુમારો સહિત ૨૫૧૬ ભૂલકાઓએ આંગણવાડીમાં પ્રવેશ મેળવ્યો હતો.
દિકરીઓને પ્રોત્સાહિત કરવાની મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની કન્યા કેળવણી યોજના અંતર્ગત ૩૯૫ દિકરીઓને વિઘાલક્ષી યોજના હેઠળ રૂ. ૧૦૦૦/- ના નર્મદા બોન્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે. જ્ઞાન જ્યોતિ પ્રગટાવવાની આ જેહાદમાં સૂરત જિલ્લાના ૨૯૬ મહાનુભાવોએ ભૂલકાઓને કુમકુમ તિલક કરી ચોકલેટ મીઠાઇ ખવડાવી શાળામાં આનંદ પૂર્વક આવકાર્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો