નવસારીઃ
નવસારી જિલ્લાના પ્રભારી સચિવશ્રી એ.કે.રાકેશના અધ્યક્ષ સ્થાને જિલ્લાના વિવિધ વિકાસ કામોમાં થયેલી પ્રગતિ અંગેની સમીક્ષા બેઠક નવસારી સરકીટ હાઉસ ખાતે મળી હતી.
શ્રી રાકેશે આગામી જુલાઈ માસમાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાઓમાં જિલ્લાના વધુને વધું ગરીબ લાભાર્થીને દરેક વિભાગો આવરી લઈ મહત્તમ લાભ આપવાનું આયોજન કરવા સંબધિત અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.એટીવીટી અંગે પણ તાલુકાનો ઝડપી વિકાસ થાય એ બાબતે વિગતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ વિવિધ મળતી યોજનાને વહેલી તકે કાર્યાન્વિત કરવા સબંધિત અધિકારીઓને જણાવ્યું. સચિવશ્રીએ જિલ્લાની નગરપાલિકાઓ ધ્વારા થતા વિકાસના રસ્તા પાણી ગટર બ્લોક પેવીંગ કામોની વહીવટી ટેકનીકલ મંજૂરી મેળવી વર્તમાન વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરવા અને ગરીબી રેખા હેઠળ જીવતા શહેરી ગરીબોની યાદી સત્વરે સર્વે કરી પૂર્ણ કરવા જણાવ્યું હતું જેમા શહેરી ગરીબોની રાજ્યસરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો તેમને લાભ આપી શકાય.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ડી.પી.જોષી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એ.સત્યાએ ઉપસ્થિત અમલીકરણ અધિકારીઓને યોજનાઓના અમલ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ સમીક્ષા બેઠકમાં નવ નિયુક્ત અધિક નિવાસી નાયબ કલેક્ટરશ્રી બી.કે.કુમાર, જિલ્લા આયોજન અધિકારીશ્રી મિસ્ત્રી, પ્રાન્ત અધિકારીશ્રી બલાત, જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહી વિવિધ વિકાસ કામોની સમીક્ષા બેઠકની ચર્ચામાં ભાગ લીધો હતો. બેઠકનું સંચાલન અધિક નિવાસી નાયબ કલેક્ટરશ્રી બી.કે.કુમારે કર્યું હતું. અને અંતમાં આભાર દર્શન કર્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો