અનુયાયીઓ

શુક્રવાર, 17 જૂન, 2011

અમિયાપુરા અને સુઘડ ગામમાં આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમ્યાન લોકઉત્સવના માહોલ સાથે સાથે દાનના પ્રવાહનો ઘોઘ વહેતો જોવા મળ્યો

ગાંઘીનગર તાલુકાના અમિયાપુરા અને સુઘડ ગામમાં આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમ્યાન લોકઉત્સવના માહોલ સાથે સાથે દાનના પ્રવાહનો ઘોઘ વહેતો જોવા મળતો હતો. આ પ્રસંગે અમિયાપુરા ગામાની પ્રાથમિક શાળામાં તપોવન સંસ્‍કાર પીઠ તરફથી શાળાને ૨૫ બેન્‍ચીસોનું દાન કરવામાં આવ્યું હતું. તે ઉપરાત ગામના સરપંચ શ્રી માણેકજી ઠાકોરે ઘોરણ ૧ થી ૮ ના વિઘાર્થીઓને નોટબુક, અમરતજી ગાલાજી ઠાકોરે રૂ.૧૦ હજાર, શાળાના આચાર્ય શ્રી બળદેવભાઇ પટેલે રૂ.૨૧૦૦ અને મેરૂઘામ જૈન તીર્થે રૂ ૨૫ હજારનું દાન કર્યું હતું. તે ઉપરાંત સુરેશભાઇ ભરવાડ, પ્રહલાદજી ઠાકોર, લક્ષ્મણજી રામાજી ઠાકોર અને અશોક વિરાજી ઠાકોર તરફથી પંખાનું દાન કરવામાં આવ્યું હતું
સુઘડ ગામની પ્રાથમિક શાળામાં બાળકો માટે ઠંડુ પાણી પીવા માટે રણછોડજી શંકરજી ઠાકોર દ્વારા વોટર કુલરનું દાન કરવામાં આવ્યું હતું. ગામના ડુંગરજી ફતાજી ઠાકોર દ્રારા પાણીની ટાંકી માટે રૂ.૭ હજારનું દાન આપ્‍યું હતું.

ટિપ્પણીઓ નથી: