અમરેલી તા. ૧૭ જુન,૨૦૧૧ જિલ્લા શિક્ષણ સમિતિ-અમરેલીના પ્રાથમિક શિક્ષકોના જનરલ પ્રોવિડન્ટ ફંડના હિસાબની પહોંચ આવી ગયેલ હોય, સંબંધિતોએ તા.૨૮/૦૨/૨૦૧૧ના રોજ જે શાળામાં ફરજ પર કાર્યરત હોય ત્યાંથી આ પહોંચ મેળવવાની રહેશે. જો આ પહોંચમાં કોઇ ભૂલ જણાય તો જરૂરી આધાર પુરાવાની નકલ સાથે તાલુકા કેળવણી નિરીક્ષક (વહીવટ) દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી-અમરેલીને પરિપત્રમાં દર્શાવેલ નમૂના મુજબ, ડ્રાફ્ટ નંબર અને તારીખ સાથે દરખાસ્ત કરવાની રહેશે. પ્રાથમિક શિક્ષક પોતે સીધી દરખાસ્ત કરી શકશે નહિ.
આ ઉપરાંત તમામ તાલુકા કેળવણી નિરીક્ષક(વહીવટ) દ્વારા પહોંચ સાથે જોડવામાં આવેલ કચેરીના પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ. ખાતા નંબરની યાદી સાથે મેળવી જે-તે પે સેન્ટરને સોંપવાની રહેશે. જે શિક્ષકની બદલી થઇ હોય તેમના જી.પી.એફ. ખાતા પહોંચ, તેમને લાગુ પડતાં ઉપાડ અધિકારીને મોકલી દેવાની રહેશે, તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી-અમરેલીની યાદીમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો