દાહોદ
દાહોદ જિલ્લાના લીમખેડા ના ગીરી કંદરાઓની વચમાં વસેલુ આંતરસુબા ગામની વસ્તી માંડ ૧૫૦૦ જેટલી છે. તેમાં ૫૦ ટકા વસ્તી બક્ષીપંચ સમાજ અને ૫૦ ટકા અતિ પછાત એવી આદિવાસી જાતિના નાયકા સમાજ છે. આદિવાસી સમાજમાં નાયકા સમાજ શિક્ષણ તેમજ આર્થિક રીતે અતિ પછાત છે. આ સમાજમાં સૌથી ઓછુ શિક્ષણ નું પ્રમાણ જોવા મળે છે. પરંતુ રાજયના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ના મનોચિંતનમાંથી પ્રગટેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ છેલ્લા ૮ વર્ષ થી ગામડે-ગામડે ઢોલ-નગારા અને શરણાઇના શૂર સાથે ગામમાં જાણે કે કોઇ ઉત્સવ હોય તે રીતે ગામ લોકો ભેગા મળીને ઉજવે છે. આ કાર્યક્રમ ?? ગ્રામજનો ની શિક્ષણ પ્રત્યે ની માનસિકતા બદલી નાખી છે. કર્મયોગી જેવી તાલીમ થી શિક્ષકોની માનસિકતા પણ બદલાઇ છે. શિક્ષકો ધરે-ધરે જઇ વાલીઓ ને સમજાવે છે. જેને લીધે વાલીઓમાં જાગૃતિ કેળવાઇ છે. પરિણામ સ્વરૂપ હવે અતિ પછાત વિસ્તારના અભણ અને ગરીબ લોકો પણ દિકરા-દિકરીના ભેદ ભાવ વગર શાળાએ દાખલ કરાવવા માટે ની માનસિકતા કેળવાઇ છે.
આંતરસુબા ગામના લીલાબેન ધીરાભાઇ નાયકા એક છોકરૂ બગલમાં તેડીને દિકરી સજજનબેન ને પહેલા ધોરણમાં પ્રવેશ અપાવવા આવ્યા હતા ત્યારે તેમની આંખોમાં દિકરીને ભણાવવાની ચમક હતી. લીલાબેન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમે અભણ રહી ગયા પરંતુ અમારા છોકરાઓ ભણીને નોકરી કરતા થાય તેવી ઇચ્છા છે. તેમ જણાવ્યું છોકરીના પિતાજી કેમ દાખલ કરવા માટે નથી આવ્યા તેવા પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું કે સજજનના પિતાજી ધીરાભાઇ મજૂરી અર્થે બહાર ગામ ગયા છે. પરંતુ હું મારી પુત્રીને ભણાવવા માટે જ ધરે રોકાઇ છું તેમ આત્મ વિશ્વાસ પૂર્વક જણાવ્યું હતું.
(આલેખનઃ- જિલ્લા માહિતી કચેરી દાહોદ )
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો