અનુયાયીઓ

શુક્રવાર, 17 જૂન, 2011

‘વાંચે ગુજરાત અભિયાન’ મોરબી-માળીયાની પ્રાથમિક શાળાઓમાં રૂ. રપ લાખનાં ખર્ચે પુસ્‍તકો કબાટ અપાશે - ધારાસભ્‍યશ્રી કાંતીભાઇ અમૃતીયા

રાજકોટ તા. ૧૭ જુનઃ ગુજરાતની પ્રજામાં વાંચનની અભિરૂચી કેળવવા રાજય સરકારે વાંચે ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્‍યો છે. જેને રાજકોટ જિલ્‍લાનાં મોરબી અને માળીયા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં વધારે વેગવાન કરવા મોરબી-માળીયા વિસ્‍તારના ધારાસભ્‍યશ્રી કાંતીભાઇ અમૃતીયાએ કમર કસી રહ્યા છે.
ધારાસભ્‍યશ્રી કાંતીભાઇ અમૃતિયાએ આ અંગે વધારે વિસ્‍તૃત માહિતી આપતા જણાવ્‍યું હતુ કે મારા મોરબી-માળીયા મત વિસ્‍તારની તમામ સરકારી પ્રાથમિક શાળાના બાળકોમાં વાંચન સંસ્‍કારના બીજ રોપવા માટે દરેક શાળા દિઠ રૂ. રપ હજારના ખર્ચે શ્રેષ્‍ઠ પુસ્‍તકોનાં સેટ તથા લાઈબ્રેરી કબાટ ધારાસભ્‍યશ્રીની એડહોક ગ્રાન્‍ટમાં આપવાનું આયોજન કરેલ છે. જેની મંજૂરી મળી જતા સમય મર્યાદામાં જ દરેક ગામડાની શાળાઓમાં સમૃધ્‍ધ લાઈબ્રેરી બની જશે જેનો વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ ઉપયોગ કરી શકશે.
ધારાસભ્‍યશ્રી કાંતીભાઇ અમૃતીયાએ જણાવ્‍યું હતુ કે, નવી પેઢીના જીવન ઘડતર અને સંસ્‍કાર ઘડતર માટેનો યજ્ઞ છે. આ વાંચે ગુજરાત અભિનવ જન આંદોલનમાં સહભાગી થવું જોઇએ.

ટિપ્પણીઓ નથી: