શાળા પ્રેવેશોત્સવ થકી ગુજરાતમાં પાયાનું શિક્ષણ સઘન બનાવવાની સરકારની નેમ છે તેમ જણાવી રાજયના શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરાએ મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના વેણપુરા-ખાંભેલ અને અંબાલા ગામેથી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
પ્રાસંગિક પ્રવચનમાં બોલતાં મંત્રીશ્રી રમણલાલ વોરાએ કહ્યું કે ગુજરાતમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય તે માટે રાજય સરકારના સતત પ્રયત્નો રહ્યા છે.સાથે સાથે બાળકના વાલી કે મા બાપે પણ એટલી જ કાળજી રાખીને પોતાનું સંતાન નિયમીત રીતે શાળાએ જાય તેમ પ્રોત્સાહિત કરવું જોઇએ.ગુજરાતમાં દલિત,આદીવાસી અને બક્ષીપંચના સમાજના બાળકોમાં પણ શિક્ષણ મેળવવા પ્રત્યે વિશેષ જાગૃતિ આવે તેમની અભિરૂચી વધે તે બાબતે પણ વિશેષ લક્ષ આપવામાં આવે છે.જે ગામોમાં સ્ત્રી શિક્ષણનો દર માત્ર 35 ટકા છે તેવા ગામો પ્રત્યે વિશેષ લક્ષ આપવામાં આવી રહ્યું છે.શિક્ષણની દષ્ટિએ ગુજરાતે અન્ય રાજયોની તુલનામાં 6 ઠ્ઠો ક્રમ મેળવ્યો હોઇ તેની સ્થિતિ સંતોષકારક છે તેમ છતાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને શૈક્ષણિક સવલતોમાં અન્યાય કરવામાં આવી રહ્યો છે. આમ છતાં ગુજરાતે શૈક્ષણિક ક્ષેત્રની દિશામાં ક્યારેય પીછેહઠ કરી નથી
કન્યા કેળવણી ઉપર ભાર મૂકીને મંત્રીશ્રી વોરાએ કહ્યું કે દીકરીને ભણાવવા માટે લોકોએ ખાસ ચિંતારાકવી પડશે.દીકરી જો ભણશે તો સમાજને ઉપરાંત એમના કુંટુંબને પણ ફાયદો થશે. વર્ષો પહેલાં શાળામાંથી અધવચ્ચે ઉઠી જવાનું પ્રમાણો સો ટકાએ 38 નું હતું હવે તેમાં ઘટાડો થવા પામ્યો છે અને તે આઠ ટકા સુધીના નીચેના દરે આવ્યું છે. તે શાળા પ્રવેશોત્સવની ફલશ્રુતિછે.
મંત્રીશ્રી રમણલાલ વોરાએ બાળકોનીતંદુરરસ્તી જાળવા.કુપોષણ ઘટાડવા,સ્વચ્છતા રાખવા,,સારો આહાર આપવા,બેટી બચાવો આંદોલનને સઘન બનાવવા સર્ગભા માતાના ગર્ભમાં રહેલા બાળકને પુરતું પોષણ મળી રહે તે અંગે સરકારેકરેલા પ્રયત્નોની રૂપરેખા આપી હતી.રાજય સરકારે માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા સફળ કામગીરી કરી છે તેની તેની વિગતો પણ લોકો સમક્ષ રજુ કરી હતી.
વેણપુરા -ખાંભેલ અને અંબાલા ગામે કુમકુમ તિલક કરાવી બાળકોને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો.દાતાઓ તરફથી સ્લેટ,પેન,છત્રી જેવીભેટ સોગાદો પણ આપવામાં આવી.
મંત્રીશ્રીએ દરેક શાળાના પ્રાગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.દર્શના જોષી,અંબાલાલ પટેલ,જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન ડો. નરસિંહદાસ વણકર,રાઘવજી માધડ,વિનોદભાઇ અઢીયોલ,ભરત ભાઇ વગેરે સહિત મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અંબાલા ગામે વિર્ધાર્થીની પુજાએ યોગ દર્શનના આસનો દ્વારા લોકોને જકડી રાખ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો