દાહોદ, ઉંડાણવાળી અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારમાં વસતા ગરીબ પરિવારોનું એક પણ બાળક શાળા પ્રવેશ થી વંચિત ન રહે તે હેતુ થી સમગ્ર રાજયમાં સરકાર ધ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે આજે બીજા દિવસે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના નીનામાની વાવ,ધાનપુર પાટડી,આંતરસુબા, અને શાષ્ટા ગામે-૧૨૬ બાળકોને કુમ કુમ તિલક કરી શાળા પ્રવેશ-એડી.ડી.જી.પી. સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ કમ કોમ્પ્યુટર સેન્ટર ગાંધીનગરના શ્રી એમ.પી. સિંગ કરાવ્યો હતો.
ત્યારબાદ શ્રી સીંધ જણાવ્યું હતુ કે પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવતા ભુલકાઓને પોતાના મા- બાપ થી છૂટા પડી શાળામાં પ્રવેશ મેળવતા હોય ત્યારે પ્રાથમિક શાળાઓમાં આનંદ ઉલ્લાસ અને સુંદર વાતાવરણ ઘણુંજ આવશ્યક છે તેથી શાળામાં પ્રવેશ મેળવતા બાળકોને ડર ઓછો કરી શકાય છે. અને બાળક ઉત્સાહભેર શિક્ષણ મેળવી શકે.વધુમાં શ્રી સીંધ જણાવ્યું હતુ કે વર્તમાન સમયમાં શિક્ષણ થકી સંસ્કારીતા અને તંદુરસ્તી થી શિક્ષા પ્રાપ્ત થશે તો આદર્શ સમાજનું ઘડતર થશે જે આપણાં ઉજળા ભાવી માટે જરૂરછે. માન.મુખ્યમંત્રીશ્રીના સ્વપ્નને સાકાર કરવા આપણે સૌએ સહકાર આપવા હાકલ કરી હતી.
ઇનચાર્જ મામલતદારશ્રી પાટીદારે પ્રવચન કરતા પ્રવેશ મેળવેલ બાળકો નો ડ્રોપ આઉટ ન થાય તે માટે તકેદારી રાખવા તેમજ રાજય સરકાર ધ્વારા શિક્ષણ ને લગતી અમલી બનાવેલ યોજનાઓ નું વિગતે સમજ આપતાં જણાવ્યું હતુ કે શિક્ષણ મેળવેલ હશે તો જ આ યોજનાઓ નો લાભ લેવામાં સરળતા રહેશે.
આ પ્રસંગે શ્રી સીંધ ના હસ્તે નીનામાની વાવ-૨૧,ધાનપુર પાટડી-૨૫,આંતરસુબા-૩૭, અને શાષ્ટા-૩૧ મળી ૧૨૬ બાળકોને પ્રવેશ અપાવી શિક્ષણ કિટસ આપવામાં આવી હતી. આંગણવાડીના બાળકોના ને રમકડાં અને સુખડી આપી પ્રવેશ અપાયો હતો.તેમજ તેજસ્વી બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. બાદમાં માન.મુખ્યમંત્રીશ્રીના પત્રનું વાંચન કરવામાં આવ્યું હતુ અને વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે બી.કે. નિરીક્ષકશ્રી પરમાર,સી.આર.સી. જાટવા શાળાના આચાર્યશ્રી ડામોર,શિક્ષકો,ગ્રામજનો,બાળકો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો