અનુયાયીઓ

શુક્રવાર, 17 જૂન, 2011

ગ્રામસેવા કેન્‍દ્ર લોકશાળા-ખડસલી હિરક જયંતી મહોત્‍સવ પ્રસંગે રાજ્યપાલ મહામહિમ ડૉ.શ્રીમતિ કમલા ઉપસ્‍થિત રહેશે

અમરેલી તા. ૧૭ જુન,૨૦૧૧ ગ્રામસેવા કેન્‍દ્ર લોકશાળા-ખડસલીને ૭૫ વર્ષ પૂર્ણ થતાં, તા.૧૮ જુનને શનિવારના રોજ ૧૧.૩૦ કલાકે, હિરક જયંતી મહોત્‍સવ ઉજવવામાં આવશે. આ તકે રાજ્યપાલ મહામહિમ ડૉ.શ્રીમતિ કમલા ઉપસ્‍થિત રહેશે. આ સમારંભના પ્રમુખસ્‍થાને ખાદી એન્‍ડ વિલેજ ઇન્‍ડસ્‍ટ્રીઝ કમિશનના ચેરપર્સન માનનીય કુમુદબેન જોષી રહેશે. પ્રતિભાસંપન્‍ન લોકનાયકો પણ આ પ્રસંગે હાજર રહેશે. આ તકે કન્‍યા છાત્રાલયોને સૂર્યઉર્જાનું જોડાણ, પુસ્‍તિકાનું વિમોચન તથા અન્‍ય કાર્યક્રમો યોજાશે. ખાદી કામમાં રોકાયેલા કાંતનાર, વણકર અને સ્‍વસહાય જૂથની મહિલાઓનું સંમેલન પણ યોજાશે.

ટિપ્પણીઓ નથી: