ભરૂચઃ
રાજયના પાણી પુરવાઠા, શહેરી વિકાસ મંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નિતીનભાઇ પટેલે ઝધડીયા તાલુકાના કરાડ,લીમોદરા,મોટાસાંજા અને રાણીપુરા ગામના બાળકોને ધોરણ-૧માં શાળા પ્રવેશ કરાવ્યા બાદ જણાવ્યું હતું કે આપણા ગુજરાત રાજયમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો કાર્યક્રમ યોજાઇ રહયો છે. ત્યારે ગામના પરિવારના બાળકોના ચારિત્ર્ય ધડતર માટે પ્રવેશ મેળવી રહયા છે. તે આજે બાળકોએ ધોરણ-૧માં અને આંગણવાડીમાં પ્રવેશ ઉમંગ અને ઉત્સાહથી મેળવ્યો છે. જે સરાહનીય છે. આનંદ અને ઉત્સાહથી જીવનની શરૂઆત કરી છે. જેથી ભારતનું ભાવી બાળક તૈયાર થશે.
બાળકને ધરમાં જેટલુ જ્ઞાન તે ખબર ન હોઇ, તેટલું જ્ઞાન શાળાના શિક્ષકો આપે છે. બાળકને સંસ્કાર અને કેળવણી આપવામાં આવે તો સુંદર બની રહેશે. મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે આલેખ જગાવી છે. ત્યારે સમાજના તમામ લોકોએ આ અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત વૈશ્વિક યુગમાં ગુજરાત સમગ્ર દેશમાં સ્થાપિત થઇ રહયું છે. ત્યારે કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે રાજય સરકારના આ અભિયાનમાં ઉત્સાહ પૂર્વક જોડાવા ભાર મૂકયો હતો.
શિક્ષણ વધુ અસરકારક બનાવવા રાજય સરકારે છેલ્લા નવ વર્ષમાં શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. બાળકોને સુવિધા પુરી પાડવા માટે ઓરડાઓનું નિર્માણ કરવામાં આવે છે. સાથે-સાથે કોમ્પ્યુટરની સુવિધા દરેક શાળામાં પૂરી પાડવામાં આવી છે.. વધુમાં ગામ લોકોએ બાળકોની ચિંતા કરીને બાળકોને ભણાવવા સલાહ આપી હતી.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી સહિત રાજયકક્ષાના મંત્રીમંડળના સભ્યો આઇ.એ.એસ. અને આઇ.પી.એસ. અધિકારીઓ ગુજરાતના ગામડાઓમાં મુલાકાત લઇ બાળકોને પ્રવેશ આપવામાં આવી રહયો છે. ગરીબમાં ગરીબ બાળક પણ શાળામાં જઇ એક સારો નાગરિક બને તે રાજય સરકારનો ઉદ્ેશ છે. બાળકોનું આરોગ્ય નિરોગી મય રહે તે માટે મેડીકલ ચેકઅપ પણ કરવામાં આવે છે. બાળકો હંમેશા ખુશ-ખુશાલ રહે તે માટે રમકડાંની કિટ્સ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતા સદસ્ય શ્રી રમણભાઇ વસાવા તેમજ જિલ્લા તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ, ગામના અગ્રણીઓ શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો