તા.૧૭મી જૂન,
ગરીબમાં ગરીબ પરિવારનું બાળક શિક્ષણથી વંચિત ન રહે તે આપણા સૌની જવાબદારી હોવાનું ખેડા જિલ્લાના અધિક નિવાસી કલેકટર શ્રી આર.કે.રાઠોડે જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજય સરકારે પ્રતિવર્ષે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજીને સામાજીક જવાબદારી નિભાવી રહી છે અને તેના સુખદ પરિણામો પણ મળ્યા છે.
આજે કપડવંજ તાલુકાના અંતરિયાળ એવા બોભા, વાધજીપુર, કેવડિયા અને ભાઇલાકુઇ ગામોની પ્રાથમિક શાળાના બાળકોને કંકુ-તિલક કરી શાળામાં પ્રવેશ અપાવતાં ઉપર મુજબ જણાવી શ્રી રાઠોડએ ઉમેર્યું હતું કે રાજય સરકારે શિક્ષણની ગુણવત્તા સુધરે તે માટે ગુણોત્સવ કાર્યક્રમ, બાળકોને તંદુરસ્તી બક્ષે તે માટે શાળા આરોગ્ય કાર્યક્રમ યોજીને હજારો બાળકોના આરોગ્યની પૂરતી કાળજી લીધી છે. ત્યારે આપણી જવાબદારી સમજીને બાળકોને નિયમિત શાળાએ મોકલીએ.
શ્રી રાઠોડએ પ્રાથમિક શાળામાં ૨૪, વાધજીપુર પ્રાથમિક શાળામાં ૨૧, કેવડીયા પ્રાથમિક શાળામાં ૨૬ અને ભાઇલાકુઇ પ્રાથમિક શાળામાં ૧૮ બાળકો મળી કુલ-૧૮૯ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે શ્રી રાઠોડએ આ શાળાઓને દાન કરનાર ગામના દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું.
માહિતી બ્યુરો - નડિયાદ -
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો