અનુયાયીઓ

શુક્રવાર, 17 જૂન, 2011

રાષ્‍ટ્રના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પાયારૂપ હોઇએ તેના વ્યાપ માટે સૌ કટિબંધ્ધ બનીએ મુખ્ય વન સંરક્ષક શ્રી એમ.એમ.શર્મા કુતિયાણા તાલુકાના બાવળાવદર, મહોબતપરા અને ઇશ્વરીયાગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન

પોરબંદર,તા.૧૭ઃ- રાષ્‍ટ્ર અને રાજયના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ એ પાયાની જરૂરીયાત છે. આ શિક્ષણ ના વ્યાપ માટે આપણે સૌ કટિબધ્ધ બનીએ, કન્યાઓના શિક્ષણ ને ઉતેજન આપીને સો ટકા સ્ત્રી સાક્ષરતા દર સિધ્ધ કરીએ.
આજે પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના બાવળાવદર, મહોબતપરા અને ઇશ્વરીયાગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્ય મહેમાંનપદે થી ઉદબોધન કરતા રાજયના વન વિભાગના મુખ્ય વનસંરક્ષક શ્રી એમ.એમ.શર્મા એ ઉપરમુજબ જણાવ્યું હતું. તેમણે નામાકંન થયેલ બાળકોને કુમ કુમ તિલક કરીને મીઠુ મો કરાવ્યું હતું ઉકત ગામોની શાળામાં ધો.૧ માં ૧૧૧ જેટલા બાળકોનું નામાકંન કરવામાં આવ્યું હતું તેમજ આંગણવાડી કેન્દ્રો માં નાના ભુલકાઓનું નામાંકંન કરવામાં આવ્યું હતું.
મુખ્ય વન સંરક્ષક શ્રી એ બાળકોના વિકાસ, ઘડતર સંસ્કાર સિચન માં શિક્ષિત માતાનું મહત્વઅનેરુ હોઇને પુત્રસાથે કન્યા ઓને કેળવણી માટે ખાસ પ્રાધન્ય આપવા વાલીઓને અનુરોધ કર્યો હતો.
તેમણે આ તકે ગુજરાત રાજય શિક્ષણના ક્ષેત્રે દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્‍ત કરે. તે માટે સૌને શિક્ષણ ના વિકાસ માટે સહિયારો પુરુષાર્થ કરવા જણાવ્યું હતું
આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય પ્રવિણભાઇએ બાળકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્‍ત કરે તે માટે વાલીઓને શિક્ષણ વિષયક જાગૃતતા કેળવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મુખ્ય વન સરક્ષક શ્રી શર્મા અને અન્ય મહાનુભાવોના હસ્તે બાળકોને શિક્ષણ તથા આરોગ્ય કિટસનું તેમજ આંગણવાડી કેન્દ્રોમાં નવા નામાકંન બાળકોને રમકડા તથા બાળ ટ્રાયસીકલ નું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ધો.૧ થી ૭ માં પ્રથમ આવનાર તેજસ્વી વિધાર્થીઓ તથા વિશિષ્‍ટ સિધ્ધિ હાંસલ કરનાર વિધાર્થી ઓનું તથા દાતાઓનું સન્‍માંન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રેખાબેન, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી મારૂ ગ્રામ્ય આગેવાનો, સરપંચો, ઉપસરપંચો, સી.આર.સી.કોડીનેટર શ્રી પુરોહિત, કેળવણી નિરીક્ષકશ્રી વાઘેલા, આ શાળાના આચાર્યો, શિક્ષકો, બાળકો વિગેરે ઉપસ્થિત રહયા હતા.
આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો,યોગ નિદર્શન વિગેરે રજુ કરવામાં આવ્યા હતા.

ટિપ્પણીઓ નથી: