અનુયાયીઓ

શુક્રવાર, 17 જૂન, 2011

બાળકને ભણાવી તેના ભાવિને ઉજ્જ્વળ બનાવવાની બાબત એ તો ઈશ્વરની પૂજા કરવા સમાન છે. - માન.મુખ્ય મંત્રીશ્રીના સચિવશ્રી એ.કે.શર્મા ફતેપુરા તાલુકા પાંચ ગામોએ ૨૨૯ બાળકોને શાળા પ્રવેશ કરાવતા મુખ્ય મંત્રીશ્રીના સચિવશ્રી એ.કે.શર્મા

દાહોદ, બાળકને ભણાવી તેના ભાવિને ઉજ્જ્વળ બનાવવાની બાબત એ તો ઈશ્વરની પૂજા કરવા સમાન છે. એમ માન.મુખ્ય મંત્રીશ્રીના સચિવશ્રી એ.કે.શર્માએ રાજ્યમાં ચાલી રહેલ કન્યા કેળવણી શાળા અને પ્રવેશોત્સવના બીજા દિવસે ફતેપુરા તાલુકાના હિંદોલીયા, પાટી, કંથાગર, સાગડાપાડા અને ઉભાપાણ ગામોએ યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજ્નોને પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું હતુ.
આ પ્રસંગે શિક્ષણથી સમાજમાં તમામ સ્તરે પરિવર્તન આવે છે તેમ જણાવી પછાત વિસ્તારોમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે પોતાની સાથે સમાજ અને રાષ્ટ્રના તંદુરસ્ત વિકાસ માટે વાલીઓને કમાણીનો થોડોક ભાગ બાળકના શિક્ષણ પાછળ કરવા માટે ખાસ અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં નાયબ કલેક્ટરશ્રી બી.કે ગઢવીએ ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા સરકારે તમામ સુવિધાઓ પુરી પાડી છે ત્યારે શિક્ષકની નિયમિતતા અને વાલીની થોડીક જાગરૂકતા કોઈ પણ ગામને સંપૂર્ણ સાક્ષર બનાવશે અને તેના પરિણામે સંતુલિત વિકાસ થશે એમ જણાવ્યું હતું.
આ પ્રસંગે સચિવશ્રી એ.કે.શર્મા અને મહાનુભાવોના હસ્તે હિંદોલીયા ગામે ૩૧ કુમાર ૩૧ કન્યા, પાટી ૧૦ કુમાર ૧૧ કન્યા, કંથાગર ૧૯ કુમાર ૩૪ કન્યા, સાગડાપાડા ૪૧ કુમાર ૩૨ કન્યા અને ઉભાપાણ ૧૧ કુમાર ૯ કન્યા મળીને કુલ ૨૨૯ જેટલા બાળકોને દફતર, પાટીપેન આપીને શાળા પ્રવેશ જ્યારે રમકડાં,ચોકલેટ અને સુખડીના પેકેટ્સ આપીને આંગણવાડીના બાળકોને વિધિવત પ્રવેશ કરાયો હતો.
આ પ્રસંગે લાયઝન અધિકારી અને સીઆરસીકો.ઓ.શ્રી રમેશ કટારા, સરપંચો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, આંણવાડી વર્કર બહેનો અને ખૂબ મોટી સંખ્યામાં મહિલા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણીઓ નથી: