અનુયાયીઓ

શનિવાર, 30 જૂન, 2012

શિક્ષકએ બાળકોની સંભાવનાઓનો શિલ્પીમ છે.

સૂરતઃ
શાળા પ્રવેશોત્સ વ-કન્યાી કેળવણી મહોત્સભવના અંતિમ દિને સૂરત નગર
પ્રાથમિક શિક્ષણ સમિતિની માતાવાડી ખાતે આવેલી શ્રી સહજાંનદ પ્રા.શાળા
અને વીર ભામાશા પ્રા.શાળા ખાતે રાજયસભાના સાંસદશ્રી ભરતસિંહ પરમારના
હસ્તે્ દસ જેટલા બાળકોનું નામાંકન તેમજ રમકડા, શૈક્ષણિક કિટનું વિતરણ
કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તેમણે કહયું કે, શિક્ષણ મેળવેલો સમાજ પછાત રહેતો નથી. શિક્ષણ
મેળવીને સુખ, સંસ્કાાર, સમૃધ્ધિર મેળવી શકે છે. ગરીબી, બિમારી અને લાચારી
સામે લડવા માટે શિક્ષણ જ એકમાત્ર સાધન છે. રાષ્ટ્ર ના વિકાસમાં પ્રાથમિક
શિક્ષણએ ખૂબ જ જરૂરી છે. જેથી દરેક વાલીઓએ બાળકોને શિક્ષણના અમૃતરસથી
વંચિત રાખવા ન જોઇએ. આજે સરકારી શાળાઓમાં તાલીમ પામેલા શિક્ષકો, ઓરડાઓ
અને કોમ્યુિત ટરો જેવી અનેકવિધ સુવિધાઓ પુરી પાડવામાં આવી છે.
સરસ્વેતીની ઉપાસના કરવાથી લક્ષ્મી આપોઆપ આવશે તેમ જણાવી કહયું કે,
શિક્ષકએ બાળકોની સંભાવનાઓનો શિલ્પીત છે. જેથી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત
ન રહે તે જોવાની જવાબદારી શિક્ષકો, વાલીઓ અને સમાજની છે. દિકરીઓના શિક્ષણ
પર ભાર મૂકતા કહયું કે, શિક્ષિત દિકરી બે ઘરને તારે છે. તેથી દિકરીઓને પણ
દિકરાઓની જેમ શિક્ષણ આપવું જોઈએ.
સ્થાષયી સમિતિના અધ્યિક્ષશ્રી ભીમજીભાઈ પટેલે કહયું કે, પાયાનું શિક્ષણ
મજબુત હશે તો જીવનની ઈમારત ખીલી ઉઠશે. વાલીઓએ શાળાની નિયમિત મુલાકાત લઇને
બાળકના અભ્યા,સની સતત કાળજી લેવાની તેમણે હિમાયત કરી હતી.

ટિપ્પણીઓ નથી: