અનુયાયીઓ

શનિવાર, 30 જૂન, 2012

પાકિસ્તાનની જેલમાંથી છૂટીને ૩૧૧ માછીમારો આજે માદરે વતન આવી પહોંચતા તેમનું ભાવભીનું સ્વાગત નાનકડી વ્યાવસાયિક ભૂલની આવી સજા ભોગવવી પડશે તેનો અમને ખ્યાલ ન હતો - માછીમાર ભાઇઓ

બાયોમેટ્રિક કાર્ડ અને એમ.એમ.એસ. ટ્રાન્સપોન્ડર સેંન્સર દ્વારા
માછીમારોને દરિયાઇ સિમાની જાણ કરાશે

ગુજરાતના દરિયાકાંઠે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ માછીમારો કયારેક
જાણતા અજાણતા પાકિસ્તાનની દરિયાઇ સિમામાં જતા રહેતા હોય છે અને તેમાં
પકડાઇ જતા આટલી નાનકડી ભુલ માટે તેમને અને તેમાના પરિવારજનોને કેવી યાતના
સહન કરવી પડતી હોય છે તેનો ચિતાર આજે અમદાવાદ રેલ્વે સ્ટેશને જોવા મળ્યો.
ગુજરાતના ૨૭૯ અને દિવના ૩૨ મળી કુલ ૩૧૧ જેટલા માછીમારોને રાજ્ય સરકારની
ભારત સરકારને સતત રજૂઆત અને સધન પ્રયાસોના પરિણામે પાકિસ્તાન સરકારે મુકત
કરતા તેઓ ગઇકાલે પંજાબના વાધા બોર્ડર થઇને રેલવે દ્વારા આજે અમદાવાદ આવી
પહોંચ્યા હતા. છેલ્લા દોઢ બે વર્ષથી પાકિસ્તાનની જેલમાં યાતના ભોગવ્યા
બાદ આજે જ્યારે તેઓ તેમના પરિવારજનોને મળ્યા ત્યારે તેઓ ભાવવિભોર બની ગયા
હતા. પાકિસ્તાનની જેલમાંથી છૂટેલા આ માછીમારોએ ગુજરાત સરકારે તેમને
છોડાવવા માટે કરેલા પ્રયત્નો બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.
આ ૩૧૧ ભારતીય માછીમારોને વાધા બોર્ડર, અમૃતસર (પંજાબ રાજ્ય)થી સ્વીકારીને
ગુજરાતમાં તેમના પરિવારો સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકારે વિશેષ
વ્યવસ્થા કરી મત્સ્યોઘોગ ખાતાની એક ટીમ વાધા બોર્ડર, અમૃતસર (પંજાબ
રાજ્ય) રવાના કરેલ હતી. આ ટીમે તા.૨૮-૬-૨૦૧૨ના રોજ ૩૧૧ ભારતીય માછીમારોને
સ્વીકારેલ છે. આ ૩૧૧ માછીમારોમાં ૨૭૬ માછીમારો ગુજરાત રાજ્યના, ૩૨
માછીમારો દિવના, ૧-મહારાષ્ટ્રના, ૧-ઓરિસ્સાના તથા 1 માછીમાર ઉત્તર
પ્રદેશના વતની છે. આ માછીમારોને ટ્રેઇન મારફતે વેરાવળ ખાતે પહોંચાડવામાં
આવશે. જ્યાં માછીમારોની સોંપણી તેમના કુટુંબીજનોને કરવામાં આવશે.
આ પ્રસંગે મત્સ્યોઘોગ સચિવ શ્રી ડી.એસ.બ્રહ્મભટ્ટ અને કમિશનર શ્રી દરબાર
ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે માછીમાર ભાઇઓને મળીને ખબરઅંતર પુછયા
હતા.
મુખ્યમંત્રીશ્રી તથા રાજ્ય સરકારશ્રીના ભારત સરકારશ્રી સમક્ષ કરેલ સધન
રજૂઆત/પ્રયત્નોને પરિણામે અત્યાર સુધીમાં કુલ ૪૪૯૬ માછીમારોને પાકિસ્તાન
ખાતેથી મુકત કરાવેલ છે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના સાગરખેડૂ એવા ૧,૩૪,૦૦૦ માછીમારો અને તેમની
બોટની ઓળખ માટે વિજાણુ બાયોમેટ્રિક કાર્ડ દ્વારા નોંધણી થઇ રહી છે. તેનો
પ્રાયોગિક અમલ પોરબંદર ખાતે પાયલોટ પ્રોજેકટ દ્વારા કરાયેલ છે. જેમા
માછીમારોની બોટમાં એમ.એમ.એસ. ટ્રાંસપોંન્ડર સેન્સર લગાવવામાં આવે છે,
જેના કારણે બોટ દરિયામાં કયાં છે તેનું ટ્રેકિંગ કરીને માછેમાર ભાઇઓને
દરિયાઇ સિમા અને અન્ય જાણકારી આપી શકાશે. હાલમાં લગભગ બે હજારથી વધુ
બોટમાં આ પ્રયોગ સફળતાપૂર્વક કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત અને દિવ-દમણના માછીમારોને પાકિસ્તાન
સત્તાવાળા દ્વારા છેલ્લા ચાર મહિનામાં ત્રીજીવાર સમુહમા આ રીતે છોડવામાં
આવેલ છે અને હવે ગુજરાતના ૧૧૯ માછીમારો છુટવાના બાકી છે અને ૬૧૨ જેટલી
ગજરાતની બોટ પાકિસ્તાનના કબજામાં છે, જેને છોડાવવા માટેના રાજ્ય સરકારના
પ્રયાસો સતત ચાલુ છે.
પાકિસ્તાન સત્તાવાળા દ્વારા માછીમારની ધરપકડ થવાને કારણે, પકડાયેલ
માછીમારોનું કુટુંબ નિરાધાર બની જાય છે. તથા માછીમારોના કુટુંબને
રોજીરોટીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આવા સંજોગોમાં ધ્યાને લઇને માછીમારના
કુટુંબને દૈનકિ સહાય ચૂકવવામાં આવે છે. આ માટે સરકારે સહાયની યોજના
અમલમાં મુકી છે. આ યોજનામાં માછીમાર જે તારીખે પકડાય તે તારીખથી તે
પાકિસ્તાન જેલમાંથી છુટીને વતન પરત આવે તે તારીખ સુધી માછીમારોના
કુટુંબીજનોને દૈનકિ આર્થિક સહાય પેટે રૂા.૫૦/- ચુકવવામાં આવે છે. વર્ષ
૨૦૦૪-થી વર્ષ ૨૦૦૧-૧૨ સુધીમાં રાજ્ય સરકારશ્રી દ્વારા કુલ ૪.૨૮ કરોડની
સહાય ચુકવવામાં આવેલ છે.

ટિપ્પણીઓ નથી: