ભરૂચઃ
રાજ્ય ના પાણી પુરવઠા મંત્રીશ્રી નિતિનભાઇ પટેલે જણાવ્યુંત હતું કે, ભરૂચ
જિલ્લાના વાગરા અને આમોદ તાલુકાના ગામોમાં પીવાના પાણીની વ્યશવસ્થાઇ માટે
રૂા.૨૯ કરોડના ખર્ચથી આયોજન થઇ રહ્યું છે અને ટુંક સમયમાં આ કામ હાથ ઉપર
લેવાશે.
મંત્રીશ્રીએ ઝાડેશ્વર ખાતે નિકોરા જૂથના દશ ગામોને નર્મદા નદી આધારિત
પીવાનું મીઠું પાણી પુરૂ પાડવા રૂા.૨૦ કરોડના ખર્ચવાળી યોજનાનું
ખાતમર્હૂત જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલ્લભાઇ પટેલની હાજરીમાં
ર્ક્યું હતુ ત્યારરે મોટી સંખ્યારમાં કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિમત
હતા. નર્મદા નદીનું પાણી ઘરઆંગણે કિનારાના ગામોને પુરૂ પાડવાની
કટિબધ્ધીતાને દોહરાવતાં મંત્રીશ્રીએ આમોદ-વાગરાના ગામડાંને પણ પાણી પુરૂ
પાડવાના આયોજનની વિગતો આપી હતી અને તવરા ગામને નિકોરા જૂથ પાણી પુરવઠા
યોજનામાં સમાવી લેવાની જાહેરાત કરી હતી.
મંત્રીશ્રી નિતિનભાઇ પટેલે નર્મદા નર્મદા યોજનાના અટકેલા કામ અંગે દુઃખ
વ્યસક્ત ર્ક્યુંવ અને કેન્દ્રક સરકારને દોષ પૂર્ણ જાહેર કરતાં કહ્યું
કે, ગુજરાત સરકારે ૪૦૦ અસરગ્રસ્તો્ મહારાષ્ટ્રવના છે તેમના માટે રૂા.૪૦
કરોડનો ડ્રાફટ કેન્દ્રર સરકારને આપ્યોો હતો. તાપી જિલ્લામાં ૪૦૦ હેક્ટવર
જમીન પણ રાજ્યા સરકારે ખરીદી છે. અસરગ્રસ્તોજ ગુજરાતમાં વસવાટ કરવા માંગે
છે પણ મહારાષ્ટ્રે સરકાર અને કેન્દ્ર૦ સરકારની મંજુરી મળતી ન હોવાથી
નર્મદા બંધનું કામ આગળ ચાલતું નથી એવી ભાવના વ્યહક્ત કરી હતી.
મંત્રીશ્રી નિતિનભાઇ પટેલે નિકોરા જૂથ પાણી પુરવઠા યોજના માત્ર દશ
માસામાં જ પૂર્ણ કરવાની જાહેરાત પણ કરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો