અનુયાયીઓ

શનિવાર, 30 જૂન, 2012

રૂ.૬૬ લાખના ખર્ચે નિર્મિત થનાર રામદેવપીરજીના ટેકરા મ્યુ.શાળાનું ખાતમૂર્હુત

શ્રમિકોના સંતાનોમાં ખેલદિલી વિકસાવી પ્રતિભાઓ ખીલવીએ - મહેસુલ મંત્રી
શ્રીમતી આનંદીબને પટેલ

શિક્ષણ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે જેને સાર્થક કરવાનું વધુ એક પગલું
જુનાવાડજના વોર્ડમાં આરંભાયું છે. જૂનાવાડજ રામદેવપીરજી ટેકરા પર રૂા.૬૬
લાખના ખર્ચે નિર્મિત થનાર રામદેવપીરજી ટેકરા મ્યુ.શાળાનું ખાતમુહુર્ત
મહેસૂલ મંત્રી અને અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી શ્રીમતી આનંદીબેન
પટેલના વરદ્‍ હસ્તે કરવામાં આવ્યું હતું.
શહેરના પヘમિઝોન વાડજ વોર્ડમાં મોટી સંખ્યામાં શ્રમજીવીઓ અને આર્થિક
સામાજિક રીતે પછાત નાગરિકોના વિસ્તારમાં બાળકોને સ્થાનિક સ્તરે શિક્ષણ
સુવિધા મળે તે માટે રાજ્ય સરકારે તાજેતરમાં રામદેવપીરજી ટેકરા મ્યુ.શાળા
ભાડાના મકાનમાં શરૂ કરી છે.
બી.આર.ટી.એસ. રૂટના કારણે શ્રમજીવી બાળકો માટે કરાયેલી આ વ્યવસ્થાને
કાયમી મકાન મળે તે માટે ચંદ્રભાગા ખાડા પાસે આજે મહેસુલ મંત્રીશ્રી અને
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ વોર્ડના કાઉન્સીલરો, સભ્યો, પદાધિકારીઓ
સાથે સ્થાનકિ નાગરિકો ખાતમુહૂર્ત વિધિ અને શાળા પ્રવેશોત્સવમાં મોટી
સંખ્યામાં જોડાયા હતા.
શ્રમિકોના સંતાનોને ફળ ટ્રાયસીકલ, રમકડાં, પુસ્તકો, દફતરો અને આરોગ્ય કીટ
વિતરણ કરી મંત્રીશ્રીએ બાળકોના શાળા અંગે શુભકામના વ્યકત કરી હતી.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સ્લમ વિસ્તારના શ્રમિકોના બાળકોને શિક્ષણ
આપવાના કાર્યને પ્રાથમિકતા અપાય છે. શિક્ષકોને અનુરોધ કરતા મંત્રીશ્રીએ
વધુમાં ઉમેર્યું હતું કે, શ્રમિકોના સંતાનોમાં ખેલદિલી વિકસાવી પ્રતિભાઓ
ખીલવી છે. અહીંના બાળકો સાથે સમજણ અને સહાનુભૂતિપૂર્વક શિક્ષણ આપવું
પડશે.

ટિપ્પણીઓ નથી: