શેડયુલ્ડર કાસ્ટ ના સભ્યસશ્રી રાજુભાઇ પરમાર ઘટના સંદર્ભે પોલીસ
અધિકારીઓ-અધિકારીઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠકને સંબોધતા શ્રી રાજુભાઇ
પરમાર રાજકોટ
નેશનલ કમિશન ફોર શેડયુલ્ડા કાસ્ટક, નવી દિલ્હીંના સભ્યેશ્રી રાજુભાઇ
પરમારે આજે થોરાળા (રાજકોટ)ની દલિત હત્યા ની ઘટના સંદર્ભે સ્થ ળ મુલાકાત
લઇ, કલેકટર કચેરી સભાખંડ ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં આ
કમિશનની અમદાવાદ કચેરીના શ્રી મુદલીયાર અને શ્રી મકવાણા ઉપરાંત જિલ્લાસ
કલેકટર ડો. રાજેન્દ્ર કુમાર, એડિ.સી.પી. શ્રી કે.એલ.એન.રાવ, પોલીસ
વડા-રાજકોટ શ્રી પ્રેમવીરસિંધ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિદત હતા.
થોરાળામાં શ્રી ગુણવંતભાઇ રાઠોડ નામક એક દલિતની હત્યા ના દુઃખદ બનાવ
સંદર્ભે એક આરોપીની ઘરપકડ બાદ બાકીના નાસતા ફરતા આરોપીઓની તાત્કાકલિક
ધરપકડ કરી તેઓ પર કડક કાનૂની કાર્યવાહી હાથ ધરીને તથા સમગ્ર વિસ્તા રમાં
દલિતોમાં જે ભયનું વાતાવરણ છે તેને નિષ્ઠાડભર્યા-ભેદભાવ વિનાના પગલાં લઇ
સત્વેરે દૂર કરવાનો પોલીસ અધિકારીઓને અનુરોધ કરતા શ્રી રાજુભાઇ પરમારે આ
વિસ્તા રમાં કાયમી શાંતિનું વાતાવરણ ઉભું થાય તે માટે સામાજીક આગેવાનોનો
પણ સહયોગ મેળવી, કોઇ એક વર્ગને ભેદભાવની લાગણી ન અનુભવાય તે રીતે
પોલીસતંત્રને નિષ્પુક્ષતાથી કામ કરવા સલાહ આપી હતી.
શ્રી રાજુભાઇ પરમારે થોરાળાની ઘટનામાં દલિતની હત્યા થયા પછી, પ૪ જેટલા
દલિત ભાઇ બહેનોની જે ધરપકડ કરવામાં આવી છે, તેની પુનઃ સમીક્ષા કરી તેમને
ન્યાછય આપવા, ખરા આરોપીઓ પકડવા ખાસ તાકીદ કરી, સમાજના અનુસૂચિત જાતિ સમાજ
તરફ ભેદભાવ દાખવનારા અધિકારીઓ સામે કડક પગલાં લેવા અને થોરાળા ઘટનાની
સ્વસતંત્ર ન્યારયિક તપાસ એક પંચ દ્વારા કરાવવામાં આવશે તેમ જણાવ્યુળ
હતું.
પ્રારંભે એડી. પોલીસ કમિશ્નરશ્રી કે.એલ.એન.રાવે સમગ્ર થોરાળા ઘટનાની
વિગતો આપી, નેશનલ કમિશન ફોર શેડયુલ્ડ કાસ્ટનના સદસ્ય શ્રી રાજુભાઇ
પરમારને ખાત્રી આપી હતી કે, આ ઘટનામાં તેઓ કોઇ પણ આરોપી પછી તે ગમે તે
વર્ગ-સમાજનો હશે તેને બક્ષવામાં નહીં આવે અને કોઇ શેહશરમ વિના તેઓ સાથે
કાનૂની પગલાં ભરવામાં આવશે.
જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રેકુમારે પણ સમગ્ર ઘટનાના દોષિતો સામે કડક
કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી. ઉલ્લેેખનીય છે કે, સમાજ કલયાણ ખાતા
દ્વારા આ ઘટના સંદર્ભે ભોગ બનનાર દલિત યુવાનના માતુશ્રીને રૂ.
૩,૭૫,૦૦૦/-ની આર્થિક સહાય ચૂકવવામાં આવેલ છે.
આ બેઠકમાં એ.સી.પી. (વેસ્ટમ) શ્રી જે.ટી.ચુડાસમા, એ.સી.પી. (ઇસ્ટપ) શ્રી
વિશાલ વાઘેલા, એ.સી.પી. શ્રી રબારી, ડી.સી.પી. શ્રી આર.એમ.પાંડે, સમાજ
કલ્યાનણ કચેરીના શ્રી સિમોન ક્રિશ્ચયન, આગેવાનો સર્વશ્રી ડો. સુનિલ જાદવ,
વશરામભાઇ સાગઠિયા, બાબુભાઇ ડાભી, મનોજ ટિમાણીયા, નિવાસી અધિક કલેકટરશ્રી
એ.બી.ગોર, સંયુકત માહિતી નિયામકશ્રી પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિરત
રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો