નવસારીઃ
નવસારી જિલ્લામાં સ્વાર્ણિમ અને નિર્મળ ગામ યોજના હેઠળ જલાલપોર
તાલુકાને સંપૂર્ણ નિર્મળ બનાવવા નિર્ણય કરવામાં આવ્યોજ છે. જે અન્વ યે
જલાલપોર તાલુકાના ૭૪ ગામોમાં સ્વયચ્છમતાની તમામ સવલતો ઉપલબ્ધ કરાવવા
વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાય છે. જિલ્લા વિકાસ
અધિકારી શ્રી જે.સી.ચુડાસમાના અધ્યાક્ષપદે મળેલી બેઠકમાં નિર્મળ તાલુકો
બનાવવા માટે જરૂરી તમામ પાસાંઓની ચર્ચા કરવામાં આવી હતી. તેમના જણાવ્યા્
અનુસાર જલાલપોર તાલુકાના કરાયેલા ગામોમાં લોક સુખાકારી અને આરોગ્યંની
સુવિધાઓની સવલત માટે સોલિડ વેસ્ટષ મેનેજમેન્ટલના સાધનો ખરીદવા ગ્રામ
પંચાયતને સરકારશ્રીના ધારાધોરણ અનુસાર રકમ આપવામાં આવશે. જેમાં લોક સહયોગ
૨૦ ટકા આપવાનો રહેશે. આ સુવિધા મેળવવા માટે જલાલપોર તાલુકા પંચાયત કચેરી
અથવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી૦, એ/૩, બહુમાળી ભવન, જુનાથાણા નવસારીનો
સંપર્ક સાધવાનો રહેશે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીના જણાવ્યાસ અનુસાર જલાલપોર તાલુકાના તમામ ગામ
સંપુર્ણ નિર્મળ બનાવવા તમામ વિભાગોને આવરી લેવાશે. ગામમાં તમામ પ્રકારની
સુવિધા ઉપલબ્ધપ થાય તેવું માઇક્રોપ્લાેન બનાવાશે. ખુટતી સુવિધાઓ ઉપલબ્ધઆ
કરાવાશે. આ કામગીરી સત્વનરે પુર્ણ થાય તે માટેની કામગીરી આરંભી દેવામાં
આવી છે.
જલાલપોર તાલુકાને નિર્મળ બનાવવા શુધ્ધે પીવાના પાણીની સવલતો, આરોગ્યત
સેવાઓ, શાળા-આંગણવાડીઓમાં સેનીટેશન, બાકી રહેલા લાભાર્થીઓને શૌચાલયની
સવલતો, ગામમાં ભુગર્ભ ગટર યોજના સહિતની સવલતો ઉભી કરવામાં આવશે. જે માટે
સંબંધિત વિભાગોને સુચનાઓ આપવામાં આવી છે. આ કામગીરી માટે પ્રાથમિક
સંપુર્ણ સ્વકચ્છાતા અભિયાન હેઠળ રૂા.૮૬.૧૧ લાખ અને નિર્મળ ગુજરાત યોજના
હેઠળ રૂા.૧૬૦.૪૬ લાખનું આયોજન કરવામાં આવ્યુંય છે. ગામને નિર્મળ બનાવવા
માટે ઘનકચરાના નિકાલ વ્યજવસ્થાા પણ ઉભી કરાશે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી૬ના નિયામકશ્રી આર.એચ.કિશોરીના જણાવ્યાે અનુસાર
જલાલપોર તાલુકામાં બાકી રહેલા લાભાર્થીઓને શૌચાલયની સવલતો આપવા માટે
સર્વે કરવામાં આવ્યો. છે અને બાકી રહેલા તમામને શૌચાલયની સવલતો ઉભી
કરાશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો