અનુયાયીઓ

શનિવાર, 30 જૂન, 2012

માણસના જન્મ સાથે જ વૃક્ષોનું મહત્વમ જોડાયેલું છે તેથી જ વૃક્ષોનું જતન કરી જીવન બચાવોઃ મંગુભાઈ પટેલ

માણસના જન્મ સાથે જ વૃક્ષોનું મહત્વમ જોડાયેલું છે તેથી જ વૃક્ષોનું જતન
કરી જીવન બચાવોઃ મંગુભાઈ પટેલ
આ વર્ષે વન મહોત્સપવ દરમિયાન સૂરત જિલ્લામાં ૩૯ લાખ વૃક્ષો રોપાશેઃ
શહેરમાં બે લાખ રોપાશે
સૂરત શહેરમાં ૬૩માં વન મહોત્સરવનો પ્રારંભઃ
પ્રકૃતિના ઉપભોગની સાથે માનવીએ તેનું જતન પણ કરવું પડશેઃ નરોત્તમભાઈ પટેલ

સૂરતઃ
સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની ગયેલા ''પર્યાવરણ''ના પડકાર સામે
'વૃક્ષારોપણ'ના મહત્વ‍ને સ્વી.કારી આવા ''વનમહોત્સ વ''ને ફળદાયી બનાવવાની
નેમ દર્શાવતા રાજ્ય ના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મંગુભાઈ પટેલે
વૃક્ષોના મહત્વો વિશે જણાવ્યુંન હતું કે, બાળકનો જન્મ્ થાય ત્યા રે તેના
ઘોડિયાથી શરૂ કરી, તે ચાલતા શીખે, અભ્યાતસ કરે, લગ્ન કરે અને છેલ્લે
જ્યાબરે તે સ્વ ર્ગે જાય ત્યાંન સુધીનો તેનો સીધો સંબધ વૃક્ષો સાથે છે.
ભારતીય સંસ્કૃાતિમાં વૃક્ષોને વિશેષ મહત્વલ આપવામાં આવ્યું છે. બહેનો
પતિના દિર્ઘ આયુશ્યસ માટે વટસાવિત્રીની પૂજા કરે છે. પૂર્વજોએ પણ
વૃક્ષોનું મહત્વન સમજી તેમાં ભગવાન ભોલેનાથ અને વિષ્ણુ ભગવાનનો વાસ થયો
હોવાની વાતો કરી છે, ત્યાવરે આપણી પણ ફરજ છે કે, આપણે પણ વૃક્ષોનું જતન
કરી પર્યાવરણને બચાવીએ.
સૂરત મહાનગરપાલિકા દ્વારા ૬૩માં વન મહોત્સફવની ઉજવણીના ભાગરૂપે નાના
વરાછા ખાતે આવેલા મહારાણા પ્રતાપ ઉદ્યાનમાં વનમંત્રીશ્રી મંગુભાઈ પટેલ,
પંચાયતમંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલ, રાજ્યા આયોજન પંચના ઉપાધ્ય ક્ષશ્રી
ભુપેન્દ્રમસિંહ ચૂડાસમા, રાજ્ય્મંત્રીશ્રી રણજીતભાઈ ગીલીટવાલા, મેયરશ્રી
રાજેન્દ્ર દેસાઈ સહિત મહાનુંભાવોની ઉપસ્થિીતિમાં વૃક્ષારોપણ અને
શહેરીજનોને વિનામૂલ્યેય રોપાનું વિતરણ કરવામાં આવ્યુંમ હતું. વન
મહોત્સભવની ઉજવણીના ભાગરૂપે સૂરત શહેરમાં બે લાખ જેટલા વૃક્ષોની રોપણી
કરવામાં આવશે.
આ પ્રસંગે ઉપસ્થિ ત જનમેદની અને શાળાના બાળકોને સંબોધતા મંત્રીશ્રી
મંગુભાઈ પટેલે જણાવ્યુંુ કે, આ માત્ર એક દિવસનો નહીં પરંતુ ૩૬૫ દિવસનો
કાર્યક્રમ બને લોકો તેની સાથે સક્રીય રીતે જોડાય તે રીતે આયોજન કરવું
જોઇએ. વૃક્ષો રોપી દેવાથી આપણી જવાબદારી પૂર્ણ થતી નથી તેનું જતન પણ થાય
તે જોવું ખૂબ જરૂરી છે. વિકાસની સાથે પર્યાવરણ પ્રત્યેણની બેદરકારીને
કારણે જ આજે આપણે ગ્લોેબલ વોર્મિંગની સમસ્યાુનો સામનો કરી રહ્યાં છે.
રાજ્યપ સરકાર પોતાની રીતે પ્રયાસ કરી રહી છે. પરંતુ તેની સાથે લોકોએ પણ
વૃક્ષોનું મહત્વય સમજી તેની કાળજી લેવી જોઇએ. સૂરત જિલ્લામાં આ વર્ષે વન
મહોત્‍સવ દરમિયાન ૩૯ લાખ વૃક્ષો વાવવાનું આયોજન છે. તેમાંથી સૂરત શહેરમાં
બે લાખ રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ઉપસ્થિલત પંચાયત મંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલે વૃક્ષોનું મહત્વ
સમજાવતા જણાવ્યુંખ કે, પ્રકૃતિના અસંતુલનને કારણે ઊભી થતી સમસ્યાચ સામે
મનુષ્ય્ જ તેનું નિરાકરણ લાવી શકે છે. ગ્લોયબલ વોર્મિંગની સમસ્યાન સામે
સરકારે વન વિભાગ દ્વારા પર્યાવરણની જાળવણી પર વિશેષ ભાર મુક્યોણ, જેમાં
સૌએ પોતાની જવાબદારી સમજી તેની કાળજી લેઇ વધુમાં વધુ વૃક્ષો વાવવાની અપીલ
તેમણે કરી હતી.
રાજ્યા આયોજન પંચના ઉપાધ્યમક્ષશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમાએ ગ્લોીબલ
વોર્મિંગની સમસ્યાપથી બચવાના પ્રત્યેસક વ્ય્ક્તિજ ત્રણ વૃક્ષો વાવે તેવો
સંદેશે આપી લોકોને પર્યાવરણ પ્રત્યેલ જાગરૂક થઇ પોતાની જવાદારી સમજવાની
અપીલ કરી હતી.
આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા પર્યાવરણ બચાવો અને વૃક્ષોના મહત્વો
વિશેના સંદેશા સાથે રોપાઓની રોપણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ, ધારાસભ્યતશ્રી કિશોરભાઈ
વાંકાવાલ, ડેપ્યુોટી મેયર શ્રીમતી વર્ષાબેન રાણા, શાસક પક્ષના નેતા શ્રી
દયાશંકર સિંઘ, સ્થાશયી સમિતિના અધ્યરક્ષશ્રી ભીમજીભાઈ પટેલ, મહાનગરપાલિકા
કમિશનરશ્રી એમ.કે.દાસ, નાયબ વન સંરક્ષકશ્રી આર.એસ.આજરા સહિત નગરસેવકો,
અધિકારીઓ, શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિયત રહ્યાં હતા.

ટિપ્પણીઓ નથી: