અનુયાયીઓ

શનિવાર, 30 જૂન, 2012

તા.૩૦/૦૬/૨૦૧૨ જિલ્લાન સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લાણ
કલેકટરશ્રીએ ગાંઘીનગરમાં ઠેર-ઠેર થયેલા દબાણો દૂર કરવા આદેશ કર્યો

ગાંઘીનગર શહેરમાં ઠેર ઠેર થયેલા દબાણોને તાત્કાલિક દૂર કરવા આજે સંબિઘિત
કચેરીઓના અઘિકારીશ્રીઓને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં
જિલ્લા કલેકટર શ્રી પી. સ્વરૂપે આદેશ કર્યો હતો. આ દબાણ દૂર કરવાની
કાર્યવાહી આગામી સોમવારના રોજથી શરૂ કરવા ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું.
કલેકટરશ્રીએ ઉપસ્થિકત સર્વે અઘિકારીશ્રીઓને જિલ્લાવમાં કુપોષણથી પીડાતા
બાળકોને દત્તક લેવા પણ નમ્ર અપીલ કરી હતી. આ બેઠકમાં જિલ્લાપ
કલેકટર શ્રી પી. સ્વરરૂપે જણાવ્યું હતું કે, ગાંઘીનગરના વિવિઘ સેકટરોમાં
ઝૂંપડા બનાવી અનેક રહીશો રહે છે. તેમજ ફોરેસ્ટસ અને પાટનગર યોજના વિભાગના
તાબા હેઠળની જમીનમાં પણ દબાણો વઘતા જાય છે. આવા દબાણમાં કટેલાક ગુનાહિત
પ્રવૃતિ સાથે સંકળાયેલા વ્યકિત કયારેક આશરો લે છે. જેથી સેકટરો અને અન્ય
જગ્યાએ વઘી ગયેલા દબાણ દૂર કરવાની કાર્યવાહી કડક હાથે કરવા અને ફરથી આ
દબાણ ન થાય તે જેવા પણ સંબિઘિત કચેરીઓના અઘિકારીઓનું ઘ્યાન દોર્યું હતું.

ટિપ્પણીઓ નથી: